Gujarat

દાંતા તાલુકાના ખેરમાળ ગામે બાળક તળાવમાં ડૂબતા મોત, તરવૈયાઓ દ્વારા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. દાંતા તાલુકાના ખેરમાલ નજીક તળાવમાં એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી તળાવ કાઠે આવ્યા હતા. ખેરમાળ ગામે ૧૪ વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાતી મૃત્યુ થયું હતું બાળકનું નામ ગમાર અર્જુનભાઈ જાણવા મળ્યું છે સવારે 9:00 કલાકે ઘરેથી ખેરમાળ ગામે આવેલા તળાવ નજીક બકરા ચરાવવા ગયેલા હતો અને બપોરે 11:00 કલાકે તળાવ નજીક બકરાને પાણી પીવડાવતો હતો અને તેઓ તળાવમાં નાહવા જતા ડૂબી જવાથી થયું મૃત્યુ થયું હતું ત્યારબાદ બપોરે 3:00 કલાકે ગામના તરવૈયા દ્વારા બાળકનું મૃત શરીર બહાર નીકાળવામાં આવ્યું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_2023_0714_210206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *