Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ  આઈ શ્રી મોમાઈ – આશ્રમની અનોખી દાસ્તાન. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આઈશ્રી મોમાઈ આશ્રમ આવેલ છે. જેમાં શ્રી શંભુગીરી માનગીરી બાપુ આશ્રમમાં વર્ષોથી  રહે છે. નવાઈની વાત એ છે કે બાપુએ ૧૦ વર્ષ પહેલા ખોરાક લેવાનું બંધ કરેલું અને ૪ વર્ષ પહેલા બાપુએ જળ લેવાનું પણ બંધ કરેલું બાપુ માત્રને માત્ર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે એક લીટર દૂધ જ પીએ છે.   પહેલા આ આશ્રમમાં સંવત ૧૨૭૫માં સ્થાપના થઈ. જેમાં પુંજા આપાએ કમળ  પુંજા ચડાવી હતી તેઓના નામ પરથી આ મંદિરનું નામ કમળ  પુંજેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે
આ આશ્રમમાં શ્રી શંભુગીરી માનગીરી બાપુએ વર્ષ ૨૦૦૨માં શ્રી આઈ શ્રી મોમાઈ આશ્રમની સ્થાપના કરી છે. બાપુ દ્વારા આઈ શ્રી મોમાઈ શકિત મંડળ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે જેમાં કુલ ૭૦૦ સભ્યો છે
નવરાત્રી દરમિયાન આ આશ્રમમાં રાતના ૧૧ વાગ્યા સુધી દીકરીઓ અને ત્યારબાદ દીકરાઓ ગરબે રમે છે. ૩૦ વર્ષ પહેલા બાપુ  હાથમાં જુવાર પણ વાવતા હતા જે ખુબ જ નવાઈની વાત છે. બાપુ દ્વારા ગયા વર્ષે ૫૧ દીકરીઓને કન્યાદાન સ્વરૂપે કબાટ અને બેડ આપવામાં આવ્યા હતા. જેમાં હિન્દુ તથા મુસ્લિમ બહેનોનો સમાવેશ થાય છે  ધર્મપ્રેમી જનતાને  આ આશ્રમની મુલાકાત લેવા માટે પધારવા બાપુનું જાહેર આમંત્રણ છે. એમ રવિ જોષીએ જણાવ્યું હતું.

IMG-20230902-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *