Gujarat

સાવરકુંડલાના પ્રખર હિતચિંતક શ્રી હર્ષદભાઈ જોશીનો આજનો મત.. ગેસના બાટલાના ભાવ સંદભે. ..જો કે આજ સમજ કદાચ આમજનતામાં પણ હોય છે કે ચૂંટણી નજીક આવે એટલે સરકારશ્રી દ્વારા લોકકલ્યાણની ભાવના જોરદાર રીતે પ્રજ્વલિત થતી હશે? 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરનાં જાગૃત બુધ્ધિજીવીમાં જેની ગણના થાય છે અને હમેશાં બેબાક સરકારની નીતિઓની આલોચના હોય કે વિપક્ષની વિરોધ પ્રદર્શિત કરવાની નબળાઈ. સાવરકુંડલાના આ વ્હીસલ બ્લોઅર ખૂબ કડક ભાષામાં તો ક્યારેક વ્યંગાર્થ રીતે તો ક્યારેક હાસ્ય રસ દ્વારા પોતાના એક લોકશાહીના જાગૃત નાગરિક  તરીકે હર્ષદભાઈ જોશી ખૂબ ગહન રીતે પોતાનો મત (પોતાના હ્રદયની વ્યથા)   વ્યક્ત કરતાં જોવા મળે છે એમાં આજરોજ વિરોધ પક્ષના એક મોટા નેતાના અખબારી સ્ટેટમેન્ટ સંદર્ભે ટિપ્પણી કરતાં માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે
“હા” કેવી કે ” ના”?
( હા કહીએ તો વિરોધ પક્ષોની  અત્યાર સુધીની નિર્બળતા છત્તી થાય!) ( અને ના કહીએ તો વિરોધ પક્ષ નારાજ અને નિરાશ  થઈ જાય !)
*ના ના કરતે પ્યાર તુમ્હી સે કય બૈઠે કરના થા ઈન્કાર મગર ઇકરાર તુમ્હી સે કર બેઠે..* એટલે ના મતલબ હા અને હા મતલબ ના એમ સમજીને ચાલવું બીજું શું? આ ઉલ્ટી ગણતરીનું રાજકીય ગણિત કહેવાય..આમજનતાની સમજ બહારનું અજબ ગણિત.. ક્યારેક જૂમલો તો કોઈ વખત શબ્દાર્થનું પ્રલોભન.!!

IMG-20230831-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *