Gujarat

જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સરસ્વતીજી મહારાજ એ શ્રીજી પ્રભુના રાજભોગના દર્શન કર્યા

જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સરસ્વતીજી મહારાજ એ શ્રીજી પ્રભુના રાજભોગના દર્શન કર્યા

પુષ્ટિમાર્ગીય મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીમાં તા.૩૦-૪-૨૦૨૪ ના રોજ અનંત શ્રી વિભૂષિત દ્વારિકા શારદા જ્યોતિષ પિઠાધિશ્વર આદિ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સ્વામી સરસ્વતીજી મહારાજે શ્રીજી પ્રભુને ધરાયેલ રાજભોગ અન્નકૂટના દર્શન કર્યા.
ત્યારબાદ મંદિરની પરંપરા અનુસાર શ્રીમહાપ્રભુજીની બેઠકમાં શ્રીનાથજી મંદિરના અધિકારી શ્રીસુધાકર ઉપાધ્યાય એ મહારાજશ્રીને ફેંટો બાંધી રજાઈ મતલબ ઉપરનું ઓઢાડેલ, સાથોસાથ પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરેલ.
આ પ્રસંગે શ્રીનાથજી મંદિરના મુખ્ય વ્યવસ્થાપક ભારત ભૂષણ વ્યાસ, મંદિરના સીઈઓ મહીપાલજી, તિલકાયતશ્રીના સચિવ લિલાધર પુરોહિત, જમાદાર હર્ષ સનાઢય, કૈલાશ પાલીવાલ વગેરે બહોળી સંખ્યામાં વૈષ્ણવ પરિવારજનો ઉપસ્થિત રહેલ તેમ વિસાવદરના વૈષ્ણવ કેયુરભાઈ અભાણીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240430-WA0007.jpg