ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રસ્ટ વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતોને વિનામૂલ્યે JCB મશીન પૂરું પાડશે. ખેડૂતોએ આ સુવિધાનો લાભ લેવા માટે ટ્રસ્ટની કચેરીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
ટ્રસ્ટે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 250થી વધુ ચેકડેમનું રિપેરિંગ કર્યું છે. આ ઉપરાંત નવા ચેકડેમ પણ બનાવ્યા છે. આ પ્રયાસોથી મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે અને પશુ-પક્ષીઓનું જીવન પણ સરળ બન્યું છે.
ટ્રસ્ટે 11,111 ચેકડેમ અને 11,111 રિચાર્જ બોર બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા અને શૈલેશભાઈ જાની સહિત અનેક ઉદ્યોગપતિઓ અને દાતાઓ જોડાયેલા છે.