National

ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્‌સ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ્‌સ) અને ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (ટ્રાફિક)ના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્‌સ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ્‌સ) અને ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (ટ્રાફિક)ના અધિકારી તાલીમાર્થીઓના એક જૂથે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા.

ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્‌સ સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહાન રાષ્ટ્રીય પ્રયાસમાં તેમની ભૂમિકા છે. તેમણે તેમને ભારતીય બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખવાની સલાહ આપી, જે ભારતના નિયંત્રક અને મહાલેખકની સમગ્ર સંસ્થાનો આધાર છે.

તેમણે કહ્યું કે જ્યારે બંધારણના ભાગ-ફ ના પ્રકરણ-ફ તેમને સંસ્થાની ભૂમિકા, ફરજો અને સત્તાઓથી વાકેફ કરે છે, ત્યારે બંધારણની પ્રસ્તાવના અને ઝ્રછય્ ના શપથ દરેક વ્યક્તિની સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકાઓ અને ફરજોના નિભાવમાં માર્ગદર્શક હોવા જોઈએ. તેમણે તેમને નવીન ઉકેલો સાથે હિતધારકોને માર્ગદર્શન અને સુવિધા આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકેની તેમની ભૂમિકા એક મોનિટર અને નિયંત્રક જેટલી જ મહત્વપૂર્ણ રહેશે.

રેલવે સેવા અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતનો એક મોટો ભાગ દરરોજ રેલવે ટ્રેક પર ફરે છે. રેલવે સેવા અધિકારીઓ તરીકે, તેઓએ આપણી ગતિશીલતાને વેગ આપવામાં અને તે રીતે આપણી અર્થવ્યવસ્થાના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે. તેમણે ભાર મૂક્યો કે રેલવે સેવાઓ મોટી સંખ્યામાં લોકોના રોજિંદા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. તેમણે અધિકારીઓને સલાહ આપી કે તેઓ ધ્યાનમાં રાખે કે તેઓ રાષ્ટ્રના પરિવર્તન એજન્ટ અને સેવા પ્રદાતા તરીકે રેલવેની એકંદર અસરકારકતા માટે કામ કરી રહ્યા છે.