ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ પોતાના ઘટર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડયો ગમખ્વાર અકસ્માત, મધ્યપ્રદેશમાં જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે ગાડી નંબર દ્ભછ ૪૯ સ્ ૫૦૫૪ એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસ સાથે અથડામણ થઈ હતી.
એક બસ અને શ્રદ્ધાળુઓની ગાડી વચ્ચેની આ ટક્કરમાં ઘટનાસ્થળે જ ૬ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. બંને સિહોરા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. મૃતકોના પરિજનોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં જેમની ઓળખ થઈ હોય તેમની યાદીઃ-
૧. વિરુપક્સિ ગુમતી
૨. બસ્વરાજ કુરતિ
૩. બાલાચંદ્ર
૪. રાજુ

