Gujarat

બજેટ રજૂ થતાં જ સુરતની ડાયમંડ માર્કેટમાં વેપારીઓ ઝૂમી ઉઠ્‌યાં, કારણ છે આ

સુરત
નાણામંત્રી ર્નિમલા સીતારામન દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યો જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સરકાર દ્વારા એક મોટો લાભ આપવામાં આવ્યો છે અને આ લાભ ડાયમંડ ઉદ્યોગમાં મોટા રાહતના સમાચાર આપશે તેવુ ડાયમંડના વેપારીઓ જણાવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે. આ સિવાય આ બજેટમાં ડાયમંડ માટેના મશીનો અને સાધનો ઉપયોગ થાય છે તેના પરની ઈમ્પોર્ટ ડ્યુટી પણ જાે ઓછી કરવામાં આવે તો તેનો મોટો ફાયદો હીરા ઉદ્યોગને થઈ શકે છે અને ડાયમંડ માટેની મશીનોને પણ આયાત કરવાની જરૂર આવનાર સમયમાં પડશે નહીં. ડાયમંડ ઉદ્યોગમાં હમણાં મોટા પાયલ લેપ્રોન ડાયમંડ નો વ્યાપક વધી રહ્યું છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ લેબગ્રોન ડાયમંડની માંગ દિવસે દિવસે વધી રહી છે. સુરત ડાયમંડ સોસિએશનના ડામજી માવાણીએ જણાવ્યુ કે,” લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે આઈ.આઈ. ટી કોલેજની એક મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. સીટ્‌સ ગ્રો કરવા માટે ચાઇનાથી ઇનપુટ કરવામાં આવતી રॅરં ચિપ્સ પર પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે. જેથી લોકો હવે તેને અહીં જ બનાવતા થશે જેનો સીધો ફાયદો ઇન્ડિયાને થશે.” લેબ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વઘાણીએ જણાવ્યું હતું કે,”ડાયમંડ ઉદ્યોગ માટે આ ખૂબ જ લાભદાય બજેટ રહ્યું છે. હાલના સમયમાં સુરત શહેરની અંદર આ ડાયમંડનું ઉત્પાદન વધુ રહ્યું છે. ત્યારે આ ડાયમંડ ના રિસર્ચ અને ડેવલોપમેન્ટ જાે સારી રીતે કરવામાં આવે તો આના કારણે રોજગારીની તકો પણ ઘણી ઊભી થશે. આ ફંડ દ્વારા નાના એસીબી સેક્ટરના લોકોને પણ ઘણો ફાયદો થશે. અને આ સિવાય હીરાની ગુણવત્તા અને તેના વેલ્યુ એડિશનને પણ ઘણો મોટો લાભ આવનાર સમયમાં ભારતને થશે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *