ઉનાળો ગાયબ..!! ચોમાસુ બારેમાસ..! ગુજરાત બીજું ચેરાપુંજી બની રહ્યું છે..!!? અબજો વર્ષોથી બ્રહ્માંડનું અસ્તિત્વને જાણવા મથામણ કરતા વિજ્ઞાનિકો – સંશોધકો – ઇતિહાસવિદો – જ્યોતિષીઓ….જેવા પ્રખર અને તપસ્વીઓ… એ આજ સુધી આ તત્વોને કળી શક્યા નથી નું કારણ તે અજર – અમર છે,છતાં પામર માનવી આ રહસ્યોને જાણવા માટે રોજે – રોજ અવનવા પ્રયોગો કરીને ઈશ્વરની સમીપ જવા કરી રહેલા પ્રયત્નો સફળ થશે..!!? અબજો સવાલ ના તરંગો ક્યારેય શાંત થવાના નથી..! તો શું આ રચનાનો ઉદ્દેશ્ય કઈક તો હોય તો પણ જીજ્ઞાશા અને ઉત્કંઠા ક્યારેય બંધ નથી થતી..!!! વિશાળ ( શબ્દો ) અખિલ બ્રહ્માંડ ના દર્શન ( થોડાક..થોડાક….) ટેલિવિઝન અને બીજા આધુનિક ઉપકરણોના માધ્યમોથી કરાવવામાં આવે છે..તે પૂરતું નથી….આપને ગમ્મે તેટલી હરણફાળ કે વાયુ વેગે પ્રગતિ કરી રહ્યા હોઈયે,,,પરંતુ હજી એક દિવસ પહેલાં સંદેશાઓ ક્ષેત્રે 6G લોન્ચ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…સારી બાબત ને વધાવી લેવામાં આવતી હોય છે.સમગ્ર દેશમાં ડિજિટલ થી પરિવર્તન થઈ રહ્યું છે..આનંદની વાત છે..પરંતુ સામાન્ય થી અતિ સામાન્ય માણસોની જરૂરિયાત અને પ્રશ્નોના ઉકેલ માટે પ્રશાસન અને સંગઠનો પોતાની મહત્વાકાંક્ષા ઓને પર રાખી પરિણામલક્ષી કાર્યો કરે તો જ લોકશાહી દેશમાં લોકોને મીઠા ફળ ( સરકારી તમામ યોજનાઓનો લાભ ) મળે..માનવી પોતાના અંગત કે તેઓના નજીકના લોકો માટે ઈશ્વરના નિયમો વિરુદ્ધ જઈ રહ્યો કે રહ્યા હોય આજે સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણ અને પૃથ્વીના પેટાળમાં હલચલ મચી રહી છે…તો શું આ પરિવર્તનના એંધાણ છે..!!? હા તો વ્યક્તિએ ઈશ્વરના અને માણસે બનાવેલા કાનૂનને ક્યારેય તોડવો ન જોઈએ..!! આ એક વિચારવા જેવો ગંભીર સવાલ તો છે,પણ આ વર્તમાન સમયમાં કોઈને કાઈ કહેવા જેવું નથી..!! છેલ્લા કેટલાક સમયથી ઓછો કે વધુ વરસાદ,બરફ વર્ષા,માવઠા,અનેક પ્રકારના વાવાઝોડા,ધરતીકંપ, દુષ્કાળ,ઠંડી,તાપમાન વગેરે કુદરતી ફેરફારો અનુભવાય રહ્યા છે…હાલ ઉનાળામાં માવઠું થઈ રહ્યું છે…ઉનાળામાં ચોમાસુ.. મોસમ એક છે પરંતુ ઉનાળો – ચોમાસુ અને શિયાળો આ ત્રણેય મોસમનો મિજાજના અનુભવ થી યુગ પરિવર્તનના એંધાણ જરૂર થી એમ કહેવામાં આવે તો કંઈ ખોટું તો નથીને..!!? ( અતુલ શુક્લ દામનગર.)


