આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ના અનુસૂચન મુજબ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ભારત દેશને સમર્પિત થયેલ વીર જવાનોને યાદ કરવા માટેનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હડિયાણા ગામના આશરે 35 જેટલા વીર જવાનોનું જે પોતાની યુવાનીમાં જ એટલે કે નવયુવાની ના સમયે ઘર-પરિવારને છોડી દેશની રક્ષા માટે ગયા હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ તકે હડિયાણા ગામના વરિષ્ઠ નિસ્વાર્થ.નિઃશુલ્ક. અને હિન્દુ. મુસ્લિમ સમાજના દરેક ધાર્મિક તહેવારો. સરકારી. અર્ધ સરકારી. શાળા.ના તમામ પ્રકારના કાર્યક્રમમાં અગ્રેસર ની ભૂમિકા ભજવી ને દેશના એક વીર સપૂત તરીકે જ પત્રકાર ની ફરજ બજાવી રહ્યા છે. હડિયાણા ગામના શ્રી શરદભાઈ એમ. રાવલ જેવો એ આ પંથકના બધા ગામના પ્રગતિના રિપોર્ટ હોય શાળાની પ્રગતિના રિપોર્ટ હોય કે કોઈ પણ ક્ષેત્રે સારી કામગીરી હોય એવા રિપોર્ટને નિશુલ્ક પોતે સ્થળ પર જઈ રિપોર્ટિંગ કરે છે. અને આવા ગામોને રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ચમકાવે છે તેઓ પણ એક સૈનિક ની જેમ આ કાર્ય નિભાવે છે આમ આ ઉત્કૃષ્ટ કામ બદલ એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..


