Gujarat

એક વીડિયો વાયરલ થતા ગુજરાતમાં રહેતા કેટલાંક બંગાળી લોકોમાં ભયનો માહોલ

સુરત
રાજકોટમાં બંગાળી સમાજ માટે વિવાદિત ટિપ્પણી અને વીડિયો વાયરલથી ગુજરાતમાં રહેતા બંગાળીમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે સુરતમાં પણ ૭૦ હજાર જેટલા બંગાળી વસે છે. વીડિયોને લઇ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને લઇ સુરતમાં રહેતા અને જ્વેલર્સ મેકિંગનું કામ કરતા બંગાળીઓએ આજે સુરત ય્ત્નઈઁઝ્ર ખાતે બેઠક બોલાવી હતી અને ત્યાં ઘટનાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. હવે બંગાળી સમાજ દ્વારા પોલીસને પણ રજુઆત કરવામાં આવશે. રાજકોટમાં હાલ છ્‌જી એ બંગાળ કેટલાક આંતકવાદીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મામલો ગરમાયો હતો. આ ઘટનાનો લાભ લઈ કેટલાક ટીખરખોરોએ સમાજમાં અરાજકતા ફેલાવવા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં બંગાળી લોકો માટે કેટલાક આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને વિવાદ છેડાઇ તેવા શબ્દોનો પ્રયોગઃ પણ કર્યો હતો. વીડિયો વાયરલ થતા ગુજરાતમાં રહેતા કેટલાંક બંગાળી લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો સુરતમાં રહેતા ૭૦ હજાર બંગાળી સમાજના લોકોમાં પણ ભય જાેવા મળ્યો હતો. ઘટનાને લઇ બંગાળી સમાજના લોકોએ આજે સુરક્ષાને લઇ ય્ત્નઈઁઝ્ર ખાતે ભેગાં થઇ મિટિંગ બોલાવી હતી અને જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થતા ગુજરાતમાં રહેતા તેમના અને તેમના પરિવારમાં ભયનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાને લઇ કેટલાંક લોકો હિજરત કરી રહ્યા છે તો કેટલાંક લોકો હિજરત કરવાનું વિચારી રહ્યા છે. આ તમામ બાબતે સુરક્ષાને લઇ આજે બંગાળી સમાજના પ્રતિનિધિએ રજુઆત કરી હતી. સાથે જ આવનાર દિવસમાં આ બાબતે પોલીસને પણ રજુઆત કરશે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *