Gujarat

સાવરકુંડલાની જનાર્દનને સેવાનું સરવૈયું.. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું ઋણાનું બંધ – ૨ પુસ્તક કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબને અર્પણ કરતાં નગરપાલિકા સદસ્યશ્રી કેશવ બગડા અને સદસ્ય પતિ હસુભાઈ ચાવડા. 

સાવરકુંડલાનાં વિકાસ માટે હરહંમેશ તત્પર એવા જનહિતના પ્રહરી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જનસેવાનાં કાર્ય તરીકે એક વર્ષના સેવાકાર્ય અને સક્રિયતાનું સરવૈયું ઋણાનુબંધ-૨  પ.પૂ. નારાયણદાસ સાહેબ કબીર ટેકરીને અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાંથી દર્શન કરીને પુનઃ  કબીર ટેકરી ખાતે પધાર્યા તે પ્રસંગે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં કેશવ બગડા ચેરમેન શ્રી દબાણ હટાવ સમિતિ નગરપાલિકા સાવરકુંડલા તથા હસુભાઈ ચાવડા સદસ્ય પતિ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ ઋણાનું બંધ – ૨ બુકલેટ અર્પણ કરવામાં આવી.. આમ સેવામાં રામનામની સુગંધ પણ ભળી..હવે સાવરકુંડલાની પ્રગતિને કોઈ ન રોકી શકે. એ તો સુવર્ણકુંડલા બનીને જ રહેશે.. નાવલી પણ નવલગંગા બારેમાસ ખળખળ વહેતી થશે એ વાત હવે પાકી..

IMG-20240205-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *