International

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો ચોકાવનારો વિડીયો સામે આવ્યો

વિમાનની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્લેનમાં બેઠેલા મુસાફરે જ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગે છે. મુસાફરી દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વિમાનની અંતિમ પળોને દેખાડવામાં આવી છે.

આ એ વિમાન છે જે કેસ્પિયન સાગરના પૂર્વ તટ પર એક તેલ અને ગેસ હબ એક્તાઉ પાસે ક્રેશ થઈ ગયું. જેમાં ૩૮ લોકો માર્યા ગયા. વીડિયોમાં મુસાફરો અલ્લાહ હૂ અકબર (અલ્લાહ મહાન છે) કહેતા સાંભળી શકાય છે કારણ કે વિમાન એક સાઈડ ઢાળ પર આવી જાય છે. સીટો પર પીળા ઓક્સીજન માસ્ક લટકતા જાેવા મળ્યા છે. સીટ બેલ્ટ પહેલો, લાઈટની હળવી ડોરબેલ જેવા અવાજ વચ્ચે ચીસો અને રોવાનો અવાજ સંભળાય છે. કેબિનની અંદર લેવાયેલો વધુ એક વીડિયો છે. વિમાનની છત અને પેનલ જેમાં રીડિંગ લાઈટ અને એર બ્લોઅર ઉલ્ટા છે.

લોકો મદદ માટે બૂમો પાડતા જણાય છે. વીડિયો સ્પષ્ટ રીતે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદનો લાગે છે. વિમાન કેસ્પિયનના પશ્ચિમ તટ પર અઝરબૈજાનની રાજધાની બાકુથી દક્ષિણ રશિયામાં ચેચન્યાના ગ્રોઝની શહેર માટે ઉડાણ ભરી હતી. દેશના ધ્વજવાહક અઝરબૈજાન એરલાઈન્સે કહ્યું કે વિમાને અક્તોથી લગભગ ૩ કિમી દૂર ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ. ૬૨ મુસાફરો અને ક્રુ સભ્યોના પાંચ સભ્યોને લઈ જઈ રહેલા વિમાને ઈમરજન્સી લેન્ડિંગ માટે મજબૂર થવું પડ્યું. જેમાં ૩૨ લોકોને બચાવી લેવાયા.

અજરબૈજાને બાકુથી રશિયાના ગ્રોન્ઝી જઈ રહેલા એબ્રેયર ૧૯૦ મુસાફર વિમાન અકસ્માતમાં માર્યા ગયેલાઓના સન્માનમાં ગુરુવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે બુધવારે ત્રાસદી બાદ શોક દિવસ મનાવવા માટે અધિકૃત આદેશ પર સહી કરી. અલીયેવને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ સેન્ટ પીટર્સબર્ગના રસ્તામાં રશિયાના હવાઈ ક્ષેત્રમાં હતા. તેઓ એક શિખર સંમેલન માટે ત્યાં જઈ રહ્યા હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ વિમાન પાછું સ્વદેશ લઈ જવાનો આદેશ આપ્યો હતો. ફ્લાઈટ નંબર ત્ન૨-૮૨૪૩ કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ.

કઝાકિસ્તાનના મિનિસ્ટ્રી ઓફ ઈમરજન્સી સિચ્યુએશન (એમઈએસ)એ ૨૮ લોકોના જીવિત બચવાની માહિતી આપી. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ અઝરબૈજાન એરલાઈન્સે એક્સ પર જણાવ્યું કે વિમાનમાં ૬૨ મુસાફરો અને ક્રુના ૫ સભ્યો સહિત ૬૭ લોકો સવાર હતા. કઝાખ મિડિયાએ કહ્યું કે વિમાનમાં સવાર મુસાફરોમાં અઝરબૈજાનના ૩૭, રશિયાના ૧૬, કઝાકિસ્તાનના છ અને કિર્ગિસ્તાનના ૩ નાગરિકો સામેલ હતા. વિમાન દુર્ઘટના પાછળનું કારણ પક્ષી ટકરાયું હોવાનું કહેવાય છે.

એમઈએસએ ૫૨ કર્મીઓ અને ૧૧ યુનિટ ઉપકરણોને તે સ્થળે મોકલ્યા જ્યાં વિમાનમાં આગ લાગી હતી. એમ્બ્રેયર ૧૯૦ વિમાનમાં ૯૬થી ૧૧૪ મુસાફરોની ક્ષમતા છે. જે કેબિન કોન્ફિગ્રેશનના આધારે બદલાય છે. વિમાને નિર્ધારિત સમયથી ૧૧ મિનિટ પહેલા બાકૂથી ઉડાણ ભરી હતી. કેસ્પિયન સાગરની ઉપર ઉડતી વખતે તેણે એક ઈમરજન્સી સંદેશ આપ્યો હતો. અઝરબૈજાની મીડિયાએ જણાવ્યું કે ધુમ્મસના કારણે વિમાનને ગ્રોઝનીમાં ઉતરવાની મંજૂરી અપાઈ નહીં.

આ કારણે તેને માખચકાલા અને બાદમાં અક્તાઉ માટે ડાઈવર્ટ કરાયું. ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ એપ્સે વિમાનને કેસ્પિયન સાગર ઉપર ઉડતા અને ચેચન્યામાં પોતાના ગંતવ્ય તરફ જતા દેખાડ્યું જેવું વિમાન રશિયાની સરહદમાં દાખલ થયું કે તે એરપોર્ટ પાસે ચક્કર મારવા લાગ્યું. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગની પરમિશન માંગી. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૨૮ વાગે વિમાન એરપોર્ટથી થોડે દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું.