આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના વિકસાવવા પર ચર્ચાઓ કેન્દ્રિત
આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક -પ્લસ નિષ્ણાતોના કાર્યકારી જૂથની ૧૪મી બેઠક ૧૯થી ૨૦ માર્ચ, ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં કાઉન્ટર-ટેરરિઝમ (ઇડબલ્યુજી ઓન સીટી)ની ૧૪મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આસિયાન સચિવાલય, આસિયાન દેશો (લાઓ પીડીઆર, મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ), છડ્ઢસ્સ્ -પ્લસ સભ્ય દેશો (ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયા)ના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો.
સીટી પર ૧૪મી એડીએમએમ-પ્લસ ઇડબલ્યુજી દરમિયાન ભારત અને મલેશિયાના સહ-અધ્યક્ષોએ સાઇકલ ૨૦૨૪-૨૦૨૭ માટે આયોજિત પ્રવૃત્તિઓ માટે કાર્યયોજના જણાવી હતી. તેમાં વર્ષ ૨૦૨૬માં મલેશિયામાં સીટી પર ઇડબલ્યુજી માટે ટેબલ-ટોપ કવાયત હાથ ધરવાની અને વર્ષ ૨૦૨૭માં ભારતમાં ફિલ્ડ ટ્રેનિંગ કવાયત હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી.

બે દિવસીય બેઠક દરમિયાન આતંકવાદ અને ઉગ્રવાદના વિકસતા જાેખમને પહોંચી વળવા માટે એક મજબૂત અને વ્યાપક વ્યૂહરચના વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ આસિયાન દેશોનાં સંરક્ષણદળો અને તેનાં સંવાદનાં ભાગીદારોનાં જમીની સ્તરે અનુભવો વહેંચવાનો હતો. આ બેઠકમાં વર્તમાન ચક્ર માટે આયોજિત પ્રવૃત્તિઓ/ કસરતો / મીટિંગ્સ / કાર્યશાળાઓનો પાયો નાખવામાં આવ્યો હતો.
અગાઉ, મ્યાનમાર અને રશિયા, ૨૦૨૧-૨૦૨૪ના અગાઉના ચક્ર દરમિયાન સીટી પર ઇડબલ્યુજી માટે સહ-અધ્યક્ષ હતા, તેમણે વર્તમાન સાઇકલ (૨૦૨૪-૨૦૨૭) માટે ભારત અને મલેશિયાને સહ-અધ્યક્ષતા સોંપી હતી. ભારત વર્તમાન ચક્ર માટે પ્રથમ ઇડબ્લ્યુજી બેઠકનું આયોજન કરી રહ્યું છે.
ઉદઘાટન સત્રમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશકુમાર સિંહે ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મુખ્ય સંબોધન કર્યું હતું અને સહભાગી પ્રતિનિધિમંડળના વડા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ એક ગતિશીલ અને વિકસતો પડકાર છે, જેમાં ધમકીઓ વધુને વધુ સરહદોને ઓળંગી રહી છે. તેમણે પ્રદેશમાં આતંકવાદનો સામનો કરવા માટે ભારતનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વર્ષ ૨૦૨૨માં યુએનએસસીની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતામાં દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર સામેલ છે.
આ કાર્યક્રમમાં સંયુક્ત સચિવ (આંતરરાષ્ટ્રીય સહયોગ (આઇસી), સંરક્ષણ મંત્રાલય શ્રી અમિતાભ પ્રસાદ, ભારતીય સેનાનાં અધિક મહાનિદેશક (આઇસી), વિદેશ મંત્રાલય અને ભારતીય સેનાનાં આતંકવાદ વિરોધી વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં.
સહભાગી દેશોના પ્રતિનિધિમંડળોના વડાઓ અને આસિયાન સચિવાલયે પણ આ વિસ્તારમાં આતંકવાદનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા પર તેમના વિચારો રજૂ કર્યા હતા. પ્રતિનિધિઓએ સાંસ્કૃતિક પ્રવાસના ભાગ રૂપે આગ્રાની પણ મુલાકાત લીધી હતી.

