સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તા.૧૩-૨-૨૦૨૨ ને રવિવારે સંત શિરોમણી ગુરુ રોહિદાસ સાહેબની ૫૭૨ મી જન્મ જયંતી અનુસંધાને સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ અનુ. મોરચા દ્વારા સાવકુંડલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં શ્રી કેશુભાઈ વાઘેલા, અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચા, શ્રી પ્રવીણભાઈ સાવજ, પ્રમુખશ્રી, સાવરકુંડલા શહેર ભાજપ, શ્રી રાજુભાઈ નાગ્રેચા અને શ્રી વિજયસિંહ વાઘેલા, મહામંત્રીશ્રી, સાવરકુંડલા શહેર ભાજપ, તેમજ સાવરકુંડલા ભાજપ અનુ. મોરચાના તાલુકા પ્રમુખશ્રી હીરાભાઈ બગડા, શહેર પ્રમુખશ્રી હસુભાઈ ખેતરીયા, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા, મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ, કોષાધ્યક્ષશ્રી જેરામભાઇ વાળા, કારોબારી સભ્યશ્રી કાનજીભાઈ રાઠોડ વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રી હાજર રહી ફ્રૂટ વિતરણનું સેવા કાર્ય પૂર્ણ કરેલ હતું.


