નવીદિલ્હી
કિવમાં ભારતીય દૂતાવાસે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે ભારત પાછા ફરવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ ૧૯ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે ૨૨, ૨૪ અને ૨૬ ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પૂર્વ યુરોપીય દેશમાં ભારતીયોની મદદ માટે ૨૪ કલાકની હેલ્પલાઇન પણ સ્થાપિત કરી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ટિ્વટર પર જણાવ્યું હતું કે તે ૨૨, ૨૪ અને ૨૬ ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. કંપનીએ આગળ લખ્યું, ‘એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.ર્ દરમિયાન, એરલાઇન વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને મંગળવારે જણાવ્યું હતું કે તેમની યુક્રેનની ફ્લાઈટ ચલાવવાની કોઈ યોજના નથી.રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનથી એક ભારતીયને લઈને ભારત પહોંચ્યું છે. વિમાનમાં ૨૪૨ વિદ્યાર્થીઓ સવાર હતા. હકીકતમાં, યુક્રેન સરહદ પર વધતા તણાવ વચ્ચે, એર ઈન્ડિયાએ મંગળવારે ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે બોઈંગ-૭૮૭ એરક્રાફ્ટ ફ્લાઈટનું સંચાલન કર્યું. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, છૈં-૧૯૪૭ એ નવી દિલ્હીથી ૈંજી્ સવારે લગભગ ૭.૩૦ વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ ૩ વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતે પોતાના નાગરિકોને પરત ફરવાની સલાહ આપી છે.


