Maharashtra

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ ૨૫ ફેબ્રુઆરીએ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે ઃ બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ
સંજય લીલા ભણસાલીની કોઈપણ ફિલ્મ હોય અને વિવાદ ના હોય તેવુ શક્ય નથી. જાે કે તેઓ ઐતિહાસિક ફિલ્મો બનાવતા હોવાથી તેમાં વિરોધ થવો સ્વાભાવિક છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સામે પણ કોર્ટમાં અરજી થઈ હતી, ત્યારે આજે બોમ્બે હાઈકોર્ટ આ અંગે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટ ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે,”૨૫ ફેબ્રુઆરીએ ફિલ્મ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે.” એડવોકેટ અશોક સરગીએ કહ્યું હતુ કે તેઓ પૂર્વોત્તર રાજ્યો વિશે ચિંતિત છે કારણ કે માત્ર શારીરિક દેખાવને કારણે જ ઉત્તરપૂર્વના લોકો ચીન સાથે જાેડાયેલા છે. “હું કોઈ મોટી વસ્તુ માંગતો નથી, તમે શા માટે આપણા જ લોકો (પૂર્વોત્તર)ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગો છો ?”વધુમાં તેણે કહ્યું કે તે આ ફિલ્મની રિલીઝની વિરુદ્ધ નથી. ભણસાલી પ્રોડક્શનના વકીલ રવિ કદમે કહ્યું કે અજ્ઞાનતાના આધારે અરજીને ફગાવી દેવી જાેઈએ. આ વિસ્તારમાં પરંપરાગત ચીની ડોક્ટરો છે. તેને ઉત્તર પૂર્વના રહેવાસીઓ સાથે કોઈ લેવાદેવા નથી. જાે હું દાંતની સમસ્યાનો સામનો કરવા માટે ચાઈનીઝ ડૉક્ટરને જાેઉં, તો શું સમસ્યા છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *