નવીદિલ્હી
ભારતે શ્રીલંકા સામેની બીજી ટી૨૦ મેચ જીતી લીધી છે. આ સાથે તેણે ૩ ટી૨૦ શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ પણ મેળવી લીધી હતી. જાેકે, લખનૌમાં જે રીતે ઇશાનની ઇનિંગ્સ ધર્મશાલાની બીજી ટી૨૦માં જાેવા મળી હતી તે રીતે જાેવા મળી ન હતી. તે અહીં થોડો અસ્વસ્થ દેખાતો હતો. તે ૧૫ બોલમાં માત્ર ૧૬ રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પણ લાહિરુ કુમારાએ લીધી હતી. મતલબ કે જેના બોલ પર તે ઇજાગ્રસ્ત થયો હતો અને હવે તે જ ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ છે, તે જ બોલરે તેને મેદાન પર ડગઆઉટ તરફ પણ દોરી ગયો હતો. આ મેચ દરમિયાન એક ખતરનાક બાઉન્સર તેના હેલ્મેટને વાગ્યું હતું. બોલ તેના હેલ્મેટ પર વાગ્યો હતો, જેના પછી મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી. ઈશાન કિશનને વાગવાની ઘટના બની ત્યારે ભારતીય ઈનિંગની ચોથી ઓવરની છે. આ ઓવરો શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ફેંકી હતી. તેણે આ ઓવરનો બીજાે બોલ ઝડપી બાઉન્સરથી ફેંક્યો. આ બોલની ઝડપ ૧૪૬ કિલોમીટર પ્રતિ કલાક હતી. ઈશાન આટલી ઝડપી બાઉન્સરને રમવાનુ ચુકી ગયા અને તેણે હેલ્મેટ તેના કપાળ પાસે અથડાયું. બોલ વાગ્યા બાદ ઈશાનની આંખો સામે અંધકાર છવાઈ ગયો અને તે થોડીવાર મેદાન પર બેસી રહ્યો. આ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ પણ તેની હાલત લેવા આવ્યા હતા. ફિઝિયોએ મેદાનમાં આવીને ઈશાનની તપાસ કરી, ત્યારબાદ તે ફરીથી બેટિંગ કરવા ગયો. બોલ હેલ્મેટ સાથે અથડાયા બાદ પણ ઈશાને મેચમાં પોતાની બેટિંગ આગળ ચાલુ રાખી હતી. પરંતુ, હવે સમાચાર છે કે તે હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના વિકેટ કીપર બેટ્સમેનનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે.


