Gujarat

 ડીસામાં 200 મા ગુરૂવારે રંગેચંગે યોજાયો જલારામ બાપાનો ભજન સત્સંગ કાર્યક્રમ 

  ગિરગઢડા તા 23
  ભરત ગંગદેવ..
   ડીસા નગરમાં 26-7-2018 ગુરૂવારથી વિવિધ જલારામ ભકતોના નિવાસસ્થાને ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા શરૂ કરાયેલ છે.
   તારીખ 19-5-2022 ના દિને 200 મો ગુરૂવાર હોઈ મહેન્દ્રકુમાર રતિલાલ ઠકકરના નિવાસસ્થાને તેમની દીકરી નિકિતાના જન્મદિન નિમિતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં જેમાં અંદાજે 250 જેટલા જલારામ ભકતોએ ખાસ હાજરી આપી હતી.વિવિધ દાતાઓએ સહયોગ આપતાં રૂપિયા 19970/- ગૌસેવા માટે યોગદાન આવ્યું હતું.
     આ દિવ્ય અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,નવીનભાઈ પ્રજાપતિ,આનંદભાઈ પી.ઠકકર,સતીષભાઈ પટેલ, આર.ડી.ઠકકર, દેવચંદભાઈ એન.ઠકકર, આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,કમલેશભાઈ રાચ્છ, સુભાષભાઈ ઠકકર,રાજેશભાઈ લીંબાચીયા,મનુભાઈ રતાણી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી રંગેચંગે ભજનો ગાઈ નાચીકૂદીને નિજાનંદ કર્યો હતો.201 મા ગુરૂવારે નગીનભાઈ પટણીના નિવાસસ્થાને ભજન સત્સંગ થનાર છે તેની જાહેરાત શીતલબેન ઠકકરે કરી હતી જ્યારે 211 મા ગુરૂવારે જલારામ મંદિરે ભોજન પ્રસાદ સાથે ભજન સત્સંગ રાખેલ છે તેવી જાહેરાત ભગવાનભાઈ બંધુએ કરી હતી.

IMG-20220520-WA0314.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *