આજરોજ તારિખ- ૧૧/૦૯/૨૦૨૨ ના રોજ સૂરખેડા ગ્રામપંચાયતના કાછેલ ગામે પયૉવરણ અનુકુળ જીવનશૈલી તાલિમ શિબિરમાં સંસ્થાના કર્મચારીઓ દ્વારા ગ્રામપંચાયતમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવે , વધુમાં વધ વૃક્ષોનું વાવેતર કરે, ઊર્જાની બચત કરે, જાહેર અને ઈલેક્ટ્રીક વાહનો નો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરો નો ઉપયોગ ઓછો કરે, પાણી બચાવે , જમીન બચાવે ,પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરે, બળતણ માટે લાકડાનો ઉપયોગ ના કરે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ગ્રામજનોને તાલિમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. સુરખેડા ગામના સરપંચ રસિકભાઈ રાઠવા દ્વારા કાછેલ ગામ આવનાર વર્ષો માં ઈકો વિલેઝ તરીકે નિર્માણ પામે તે માટે ગુજરાત ઇકોલીજી કમીશન, ગાંધીનગર ને રજુઆત પણ કરવામા આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


