ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી માં નાગણેશ્વરી માતાજીના હવન તેમજ 751 દીવાની શેષ નાગની મહાઆરતી કરવામાં આવી હતી. એકસમયે 751 દીવડાંની શેષ નાગની મહા આરતી કરવામાં આવતાં અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી […]
Author: JKJGS
ધાનેરાના 62 ગામમાં વસવાટ કરતાં રબારી સમાજના શિક્ષણરથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કર્યું, શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ યોજાયો
શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવિન શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ શિક્ષણ સંકુલના ભૂમિદાતા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ની વિશે શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકા ના 62 ગામમાં વસવાટ કરતાં રબારી […]
કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન: મંદિરને રંગબેરંગી રોશની સહિત દીવડાવો અને રંગોલીથી શણગારાયું
દેવ દિવાળી નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારી ભીડ જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના આજુબાજુ અનેકો નાના-મોટા મંદિરો આવેલા છે. અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી પર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં આજે દેવ દિવાળી નિમિત્તે શિવ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે સાથે સાંજની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે કાર્તિકી પૂનમના રોજ કૈલાશ […]
લોકો ભૂકંપને લઇ ઘરની બાહર દોડી આવ્યા, હળવા ભૂકંપના આંચકાથી કોઈપણ જગ્યાએ નુકસાન સર્જાયું નથી
વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપનો આંચકો ક્યારેક ક્યારેક આવતો હોય છે અને જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય ત્યારે અનેકવાર મોટું નુકસાન પણ સર્જાતું હોય છે. જેમાં જાનમાલનું નુકસાન પણ ભોગવું પડતું હોય છે. ભારતમાં પણ અનેકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે વર્ષો પેહલા ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાથી મોટું જાનમાલને નુકસાન સર્જાયું હતું. ગઈ મોડી રાત્રે […]
ગે.કા દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર સબંધી ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે […]
છોટાઉદેપુર જિલ્લામાં બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા તથા વિવિધ કાર્યક્રમ યોજાયા
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આદિવાસી સમાજ અને યુવાનો દ્વારા વીર શહીદ અને આદિવાસીઓના મસીહા વીર બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી આજરોજ ઉજવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડમાં આવેલી બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાને આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ […]
બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે રન ફોર બીરસા તથા ચિત્ર સ્પર્ધા તેમજ વાકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમ યોજાયા
બીરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે આયોજિત કાર્યકમ માં સવારે છ વાગ્યે બીરસા મુંડા સર્કલથી શરૂ કરી જેમાં ૧૨ થી ૧૭ વર્ષ સુધી યુવાનો અને મહિલાઓ માટે અઢી કિલોમીટર તથા ૧૮ વર્ષ થી ઉપર ની ઉંમર માટે પાંચ કિલોમીટર સુધી રન ફોર બીરસા મેરેથોન દોડ યોજાય હતી. જેમાં ૧૦૦ થી વધુ દોડવીરો […]
ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબજેલ છોટાઉદેપુરનાં સંયુક્ત ઉપક્રમે જનનાયક બીરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટનાં મંત્રી મનુભાઈ રાઠવા, તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, મનિષભાઇ રાઠવા,ડો જયેશ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી બંદીવાન કેદીઓને બીરસા મુંડાનાં જીવન ચરિત્ર વિશે વિસ્તૃત […]
માત્ર એક વર્ષના બાળકની વ્હારે આવતી સાવરકુંડલા પોલીસ તેમજ શ્રી વીરદાદા જસરાજ સેના
જિંદગી ઐસી ભી હોતી હૈ, પતા ન થા, લોગ યહાઁ કૈસે ગુજારા કરતે હૈ, પતા ન થા..! કૈસે સજદા કરે દર પર તેરે પતા ન થા.. ન થા હોશ ઉનકે ચહેરે પર યે એહસાસ લેકર, જમાનેમેં કુછ લોગ ઇન્સાનિયત કે ભી પુજારી થે પતા ન થા… ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આજુબાજુ સાવરકુંડલા શહેરમાં આવેલ નાવલી […]
આગામી તા.૦૧.૦૧.૨૦૨૫ થી તા.૦૧.૧૦.૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક
મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત રાજ્યભરમાં તા.૧૭ નવેમ્બર તથા તા.૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૪ […]










