Delhi

‘સૌથી મોટો તિરંગો’ કાર્યક્રમ સ્થગિતનું ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કારણ

નવીદિલ્હી
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સહિત સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉત્સાહની લહેર છે. જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કાર્યક્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમામ રાજ્ય સરકારો પોતાના સ્તરે કાર્યક્રમોનુ આયોજન કરી રહી છે. આ દરમિયાન દિલ્લી સરકારનો ‘સૌથી મોટો ત્રિરંગો’ કાર્યક્રમ દિલ્લીમાં યોજાવાનો હતો પરંતુ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ મુલતવી રાખવાનુ કારણ વરસાદને કારણે ભરાઈ ગયેલા પાણી છે. બુરારી ગ્રાઉન્ડ કે જ્યાં કાર્યક્રમ યોજાવાનો હતો ત્યાં વરસાદ પછી પાણી ભરાઈ ગયુ છે જેના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કરીને કાર્યક્રમ મોકૂફ રાખવાની જાણકારી આપી હતી. મનીષ સિસોદિયાએ પોતાના ટ્‌વીટમાં કહ્યુ કે આઝાદીની ૭૫મી વર્ષગાંઠના અવસર પર દિલ્લીના બાળકો સૌથી મોટો ત્રિરંગો બનાવવાના હતા પરંતુ બુરારી મેદાનમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ કાર્યક્રમને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે. અમારા બાળકોએ તેના માટે અદ્ભુત રિહર્સલ પણ કર્યુ હતુ. આ પહેલા ઝ્રસ્ર્ં દિલ્લીએ પણ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે આવતીકાલે બપોરે ૧૨ વાગે દિલ્લીના બાળકો સાથે મળીને વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા તેમની સાથે હાજર રહેશે. અન્ય એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યુ હતુ કે આખો દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ૪ ઓગસ્ટે દિલ્લીના હજારો બાળકો વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે. હવે આપણે ૧૩૦ કરોડ ભારતીયો સાથે મળીને ભારતને વિશ્વમાં નંબર ૧ દેશ બનાવીશુ.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *