Delhi

RBI એ રેપોરેટમાં વધારો કરતા તમારાEMIમાં થશે વધારો

નવીદિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઇમ્ૈં સ્ઁઝ્ર સ્ીીંૈહખ્ત ની ઓગસ્ટ ૨૦૨૨ની બેઠક આજે પૂરી થઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે ૧૦ વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે સ્ઁઝ્ર ને તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ વધારવાનો ર્નિણય લીધો છે. ઇમ્ૈં ના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઇમ્ૈં સ્ઁઝ્ર સ્ીીંૈહખ્ત ની ઓગસ્ટ ૨૦૨૨ની બેઠક આજે પૂરી થઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે ૧૦ વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે સ્ઁઝ્ર ને તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ વધારવાનો ર્નિણય લીધો છે. ઇમ્ૈં ના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે. આરબીઆઈએ રેપોરેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ હવે રેપોરેટ વધીને ૫.૪૦ ટકા થયો છે. આઠ જૂને થયેલી ગત નીતિગત જાહેરાતમાં પણ રેપોરેટમાં અડધા ટકાનો વધારો કરાયો હતો. જેનાથી રેપોરેટ વધીને ૪.૯૦ ટકા થયો હતો. હાલમાં જ અમેરિકી ફેડરલ રિઝર્વ (ેંજી હ્લીઙ્ઘ) એ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેને પગલે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી કે આરબીઆઈ પણ વ્યાજ દરમાં વધારાનો ર્નિણય લેશે. ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીમાં ઘટાડો કરવા માટે રેપો રેટમાં આ વધારો કર્યો છે. રેપો રેટને પ્રમુખ વ્યાજ દરના નામથી પણ ઓળખીએ છીએ. રેપો રેટ એ દર છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે છે. જ્યારે બેંકો માટે ઉધારી મોંઘી થાય છે ત્યારે તેઓ ગ્રાહકોને પણ વધુ દર પર લોન આપે છે. જેનો સીધો અર્થ એ છે કે રેપો રેટ વધવાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવા કરજ મોંઘા થશે. આ ઉપરાંત ગ્રાહકોને તેમની ડિપોઝિટ પર અપાતા વ્યાજનું નિર્ધારણ પણ મોટાભાગે રેપો રેટથી જ થાય છે. એટલે કે રેપોરેટમાં વધારો થતા બેંક એફડી ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કરે છે. ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં વધારો કરે છે. એ જ રીતે આરબીઆઈ મૌદ્રિક નીતિને ટાઈટ કરીને માંગને નિયંત્રણમાં લાવવાનું કામ કરે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ ગ્રાહક મૂલ્ય સૂચકઆંક પર આધારિત મોંઘવારીમાં મામૂલી ઘટાડો આવ્યો છે. અમેરિકામાં મોંઘવારી હાલના સમયમાં ૪૦ વર્ષના સૌથી ઉચ્ચસ્તરે છે. આ મોંઘવારીને ઓછી કરવા માટે ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરે છે. કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ મૌદ્રિક નીતિને સરળ બનાવી અને દરોને ખુબ ઓછા કર્યા હતા. આરબીઆઈ પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે હવે તે ધીરે ધીરે પોતાનું ઉદાર વલણ પાછું લેશે.

File-01-Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *