Delhi

આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ઃ કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જીકે રેડ્ડી

ન્યુદિલ્હી
આ મહિનાની શરૂઆતમાં કુતુબ મીનાર સંકુલની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને તેનું નામ બદલીને “વિષ્ણુ સ્તંભ” રાખવાની માંગણી કર્યા પછી બે જમણેરી જૂથોના ૪૪ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓને અસ્થાયી રૂપે અટકાયતમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેઓ આ વિસ્તારમાં ટ્રાફિકને અવરોધે છે. તાજેતરમાં, વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રવક્તા વિનોદ બંસલે પણ દાવો કર્યો હતો કે કુતુબ મીનાર ખરેખર “વિષ્ણુ સ્તંભ” હતો. તેમણે કહ્યું કે આ સ્મારક ૨૭ હિંદુ અને જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે.સંસ્કૃતિ મંત્રાલયે સંકુલમાં મૂર્તિઓની પ્રતિમાઓ મેળવવા માટે સૂચનાઓ જારી કરી હતી અને કુતુબ મીનારની દક્ષિણમાં મસ્જિદથી ૧૫ મીટરના અંતરે ખોદકામ શરૂ કરી શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ ખોદકામ શરૂ કરવાનું હતું અને સંસ્કૃતિ મંત્રાલયને જાણ કરવાનું હતું. કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જીકે રેડ્ડીએ આ અહેવાલોને ફગાવતા જણાવ્યું કે, આવો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. એડવોકેટ હરિ શંકર જૈન દ્વારા દાખલ કરાયેલા દાવા પર કોર્ટે આ આદેશ આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ ગૌરીની સેનાના જનરલ કુતુબદ્દીન એબક અને કુવ્વત-ઉલ-ઇસ્લામ દ્વારા ૨૭ મંદિરોને આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. સામગ્રીનો પુનઃઉપયોગ કરીને સંકુલની અંદર મસ્જિદ ઉભી કરવામાં આવી હતી. જૈને જણાવ્યું કે, ભગવાન ગણેશની બે મૂર્તિઓ હતી, જે અનાદિ કાળથી પરિસરમાં આવેલી છે અને તેમણે એવી શંકા વ્યક્ત કરી હતી કે છજીૈં તેમને માત્ર કલાકૃતિઓ તરીકે રાષ્ટ્રીય સંગ્રહાલયમાંથી કોઈ એકમાં હટાવે તેવી શક્યતા છે. વિષ્ણુ શંકર જૈને પણ દિલ્હીની સાકેત કોર્ટમાં સંકુલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓની પુનઃસ્થાપના અને સ્થળ પર પ્રાર્થનાના અધિકારની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી ૨૪ મેના રોજ થશે. કોર્ટે કેન્દ્ર અને છજીૈંને આ મામલે જવાબો દાખલ કરવા કહ્યું હતું. જાે કે, દિલ્હીની એક અદાલતે ગયા મહિને છજીૈંને આદેશ આપ્યો હતો કે, આગામી નિર્દેશો સુધી (ઊેંેહ્વ સ્ૈહટ્ઠિ) કુતુબ મીનાર સંકુલમાંથી ભગવાન ગણેશની બે મૂર્તિઓ હટાવાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *