Gujarat

અમદાવાદની ઉદગમ સ્કૂલ દ્વારા અનોખુ બિનવારસી વાહનો અભિયાન શરૂ કર્યું

અમદાવાદ
અમદાવાદના રસ્તા અને કોમર્શિયલ સ્થળોએ પડી રહેલી બિનવારસી ગાડીઓ નજરે પડવી સામાન્ય છે. આવા વાહનો દૂરથી જ ઓળખાઈ જાય છે જે ધૂળ, ગંદકી, કચરાના ઢગ વચ્ચે પડેલી હોય છે. આવી બિનવારસી ગાડીઓ પાર્કિંગની જગ્યા રોકે છે, બિનજરૂરી અડચણ ઊભી કરે છે અને જાહેર જગ્યાઓને ઉકરડામાં ફેરવી દે છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા મળી રહે તે ઉદ્દેશ્યથી ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલે એક અનોખું અભિયાન આદર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી બિનવારસી ધૂળ ખાતી ગાડીઓની ઓળખ કરી શકશે અને તેના ફોટો તથા લોકેશન મોકલી શકશે. આ અભિયાનને ‘જીॅર્ં છહ્વટ્ઠહર્ઙ્ઘહીઙ્ઘ ઝ્રટ્ઠજિ’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંગે વિગતો પૂરી પાડતાં ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે આપણે જાેયું હશે કે મુખ્ય સ્થળોએ આવા બિનવારસીવાહનો ઘણી જગ્યા રોકતા હોય છે. જેના લીધે સામાન્ય લોકોને પાર્કિંગની સમસ્યાઓ નડે છે.આ અભિયાનથી શહેરમાં આવા બિનવારસી વાહનોનું લિસ્ટ બનાવવામાં મદદ મળશે. અભિયાનના અંતે અમારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોકલાયેલા આવા અનામી વાહનોની પૂરી વિગતો હશે જે સરકારના વિવિધ વિભાગોને મોકલાવામાં આવશે અને તેમને વિનંતી કરવામા આવશે કે પાર્કિંગની જગ્યા ખાલી કરવા માટે તેઓ જરૂરી પગલાં લે. આ પહેલના સફળ અમલીકરણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મદદ કરે તે જરૂરી છે.

Will-identify-unoccupied-vehicles.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *