ઊના – ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ મહિલા મોરચાની સુચના હેઠળ ઉના શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતગર્ત ઉના શહેરની ગાંધી કન્યા વિદ્યાલયમાં વિધાર્થીનીઓની હિમોગ્લોબીન તપાસ કાર્યકમ રાખવામાં આવેલ હતો. જેમા અંદાજીત ૧૦૦ વિધાર્થીની ઓની હિમોગ્લોબીન તપાસ કરાય હતી..આ કાર્યકમમાં ગીર સોમનાથના મહિલા મોરચાના મહામંત્રી દીપાબેન બાંભણીયા, ઉપપ્રમુખ તૃપ્તિબેન દેસાઇ, મંત્રી લક્ષ્મીબેન બાંભણીયા, હાઈસ્કૂલના આચાર્ય તૃપ્તિબેન તથા શિક્ષકગણ, મેડિકલ સ્ટાફ તેમજ વિધાર્થીનીઓ હાજર રહ્યાં હતા. તમામનો મહિલા મોરચા ઉના શહેરવતી આભાર
વ્યક્ત કરેલ હતો.


