હાર્દિક કાનાબાર પ્રાચી
.
આંખના કુલ ૨૦૬ દર્દીઓ એ લાભ લીધો.
અને ૭૬ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ ગયા.
પ્રાચી તીર્થ.. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન ખાતે શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આ કેમ્પના દાતા શ્રી ડો. સાવલિયા સાહેબ તથા મહંત કરશનદાસ બાપુ ઉપવાસી પાધેશ્વરી આશ્રમ મટાણા શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલના ડો.અલ્કેશભાઈ વૈદરાજ વજુભાઈ ગોરખમઢી તથા ગાયત્રી પરિવારના પરિજનોનાદ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમા ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ગાયત્રી મંત્ર વિશે ચિતંન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટર અલ્કેશ ભાઈ એ આંખના ૨૦૬ દર્દીઓને તપાસી ૭૬ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા. આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે સાદા ભોજન ની પ્રસાદ ની વ્યવસ્થા તથા ચા-પાણીની વ્યવસ્થા રાખવામા આવી હતી


