ગિરગઢડા
ભરત ગંગદેવ..
વેરાવળ-કોડીનારને જોડતા નિર્માણાધીન નેશનલ હાઈવે ઉપર પેઢાવાડા ગામ નજીક હાઈવે ઉપર સોમત નદીમાં આવેલા પૂરનું પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો હતો, જેને પગલે બન્ને તરફથી વાહનવ્યવહાર અટકી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ ટૂંકા દિવસોમાં બીજી વખત મહત્ત્વનો હાઈવે બંધ થતાં લોકોમાં તંત્રની અણઘડ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો હતો. આ હાઈવેની કામગીરીમાં અનેક ઠેકાણે ઢંગધડા વગરના ડાઇવર્ઝન કાઢવામાં આવ્યા હોય, જે વરસાદમાં ગરકાવ થતા હોવાથી ચાલકોને વાહનો કાઢવામાં ભારે મુશ્કેલી પડે છે. એ અંગે તંત્રએ ઠોસ આયોજન સાથે કાર્યવાહી કરવાની જરૂર હોવાની લોકલાગણી પ્રવર્તી રહી છે.
