Gujarat

હિન્દી ન્યૂઝ ચેનલના શીરમોર પત્રકાર કમાલખાનનું  આકસ્મિક નિધન થતાં અહીં મોટા ઝીંઝુડા નજીક આવેલા રાધીકાસાહેબ આશ્રમ ખાતે કમાલ ખાનને પ્રેસ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. તેનાં ચીંધેલાં આદર્શોનું અનુસરણ કરવાનો નિર્ધાર પણ કરવામાં આવેલ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
હિન્દી ન્યૂઝ ચેનલના શીરમોર પત્રકાર કમાલખાનના આકસ્મીક નીધન પર સાવરકુંડલા પ્રેસ ક્લબ દ્વારા શોક પ્રગટ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
હિન્દી ટીવી જગતના મશહુર પત્રકાર કમાલ ખાનનુ લખનૌમાં નીધન થયુ છે. હિન્દી ન્યૂઝ ચેનલમાં પોતાની આગવી છટા, બોલવાનો અલગ અંદાજ અને જ્ઞાનના કારણે કરોડો દર્શકોના માનીતા એવા કમાલ ખાનને સાંભળવા કે તેમની સ્ટોરી જોવી એ એક લાહ્વવો છે. ઉર્દુ, હિન્દી કે પછી રામાયણની ચોપાઈ હોય કે મહાભારતના શ્લોક કે પછી કુરાનની હદીસો હોય કમાલ ખાન સહજતાથી પોતાની સ્ટોરીમાં તે બોલતા અને દર્શકોને એક ભાવ વિશ્વમાં લઈ જતા. કમાલ ખાનના નિધનથી સમગ્ર મિડીયા જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પ્રેસ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા મોટા ઝીંઝુડા નજીક આવેલા રાધીકાસાહેબ આશ્રમ ખાતે કમાલ ખાનને શ્રધ્ધાંજલી માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ટીવી, અખબાર અને ડિજીટલ મિડિયાના પત્રકારો દ્વારા કમાલ સરને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રાધીકાસાહેબ બાપુ દ્વારા મૃતકના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આમ ખૂબ ભાવપૂર્ણ વાતાવરણમાં રાધિકાબાપુની ઉપસ્થિતિમાં પત્રકારો દ્વારા કમલા ખાનને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

Screenshot_20220116-195051_WhatsAppBusiness.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *