Gujarat

જેતપુર દ્વારા ઇન્ડિયન આર્મી માંથી નિવૃત થયેલ જવાન નો સન્માન કાર્યક્રમ યોજાયો

વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.  જેમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પણ પહોંચાડવામાં આવે છે તેમજ દર મહિનાની 12 તારીખ દંત યજ્ઞ તેમજ નેત્ર યજ્ઞ નું આયોજન પણ કરવામાં આવે છે. પદયાત્રિકોને નિશુલ્ક ભોજન તેમજ ઉતારાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે.
હાલ અહીં 140 વૃદ્ધ વડીલો નીવાસ કરે છે.
ત્યારે નિલેશભાઈ કરસનભાઈ ભાદરકા ભારતીય સેનામાં થી ગર્વ લઇ શકાય તેવી સેવા આપી નિવૃત્ત થતાં માદરે વતન પરત ફરતી વેળાએ હરિઓમ વૃધ્ધાશ્રમના વૃધ્ધોને ભોજન કરાવેલ ત્યારે શ્રી હરિ ઓમ વૃદ્ધાશ્રમ ના સંચાલક શ્રી જોશી દ્વારા નિલેશભાઈ ભાદરકા ને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ નિલેશભાઈ દ્વારા પોતાના સૈનિક તરીકે ની જીવનશૈલી અને નુભવો રજુ કર્યા હતા અને સેવાના કાર્યોમાં આગળ પણ હંમેશા અગ્રેસર રહેશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ ઓફિસર ગઢવી સાહેબ તેમજ નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ વઘાસિયા તેમજ હરસુખભાઈ ઉંધાડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220104-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *