અમરેલી જિલ્લાના એક ગામની મહિલા એસ.પી.સાહેબ શ્રી હિમકરસિંહનાઓને પોતાની વ્યથા જણાવવા માટે મળવા ગયા અને તે માત્ર ન્યાય મેળવવા માંગતા હતા જેથી સાહેબશ્રીએ તેમને શાંતિપૂર્વક સાંભળી અને બેનને આશ્વાસન આપી અને મહિલાને કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા અને સાહેબશ્રીએ સાંત્વન આપી કહેલ કે “આપની પુરી મદદ કરવામાં આવશે” જેથી આ મહિલા પોતાની એક જાતે લખેલી અરજી સાથે કાઉન્સેલર પારુલબેન મહિડા પાસે સેન્ટરમાં આવ્યા અને તેમને પોતાની ઉપર વિતેલ ત્રાસ અંગેની વિગત જણાવી જેમાં
બેનના લગ્ન 12 વર્ષ પહેલાં થયેલા અને બે દીકરા જેમાં એક દીકરો મુક-બધિર છે.આ બેનના પતિ કામધંધો કરતા નહીં અને બેન કામ કરવા જાય તો શંકા-કુશંકા કરતા અને મારઝૂડ કરી લેતા બેન આ ત્રાસથી કંટાળી અને તેના બંને બાળકો સાથે છેલ્લા એક-દોઢ વર્ષથી તેના પતિના ઘરના ફળિયામાં બનેલ એક નાની ઓરડીમાં જુદા થઈ ગયા અને પોતાની રીતે એક કંપનીમાં કામે લાગી ગયા અને એના મુક-બધિર બાળકને તેનો વિકાસ થાય માટે ભણવામાટે મૂંગા- બહેરા શાળામાં અભ્યાસ માટે મોકલી દીધેલ અને નાની દીકરો સાથે રાખેલ અને આમ એક-દોઢ વર્ષથી બેન તેના પતિથી અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતા પણ ચોમાસાની સિઝન આવતા એ ઓરડી જર્જરિત હોવાથી પાણી ટપકતું એટલે બેને રહેવાની તકલીફ ઊભી થઈ એટલે ઓરડીનું રીનોવેશન કરવાનું વિચારી અને જી.સી.બી.બોલાવેલ પણ બેનના પતિ અને સાસુએ જી.સી.બી.વાળાને ગાળો આપી અને ઓરડી બનાવવા દીધી નહિ અને મારી નાખવાની ધમકી પણ આપી દીધી જેથી બેન અમરેલી જિલ્લાના એસ.પી.સાહેબશ્રી પાસે મદદ માટે આવ્યા અને બાદ સેન્ટરમાં કાઉન્સેલર પારુલબેન મહિડાના સહકાર અને મદદથી બેનના પતિ સાસરિયાઓ સમજ્યા અને તેમને ઓરડી બનાવવાની મંજૂરી આપી બાદ અવાર નવાર કાઉન્સેલિંગ માટે બંને પતિ-પત્નીને બોલાવ્યા અને સમાજના વડીલો ને પણ બોલાવ્યા આમ બધાને સમજાવતા હાલ બંને પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું અને હવે બેન દોઢ વર્ષે તેના પતિ સાથે રાજીખુશીથી રહેવા લાગ્યા છે તેના પતિ હવે ઘરમાં કમાઈને આપે છે બંને બાળકો અને પત્નીને સારી રીતે સાચવે છે.હાલ બેન ખૂબ ખુશ છે અને કાઉન્સેલર પારુલબેન મહિડા નો આભાર માન્યો..
આમ,સામાજિક રૂઢિઓ સામે લાડતી મહિલાને એસ.પી.સાહેબશ્રી અને કાઉન્સેલરની મદદથી મહિલાને ન્યાય અપાવવામાં અને સમજમાં પુનઃસ્થાપન કરવમાં સફળતા મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


