Gujarat

યાત્રાધામ દ્વારકામાં પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંર્તગત સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાલીકા દ્વારા યાત્રાધામ દ્વારકા શહેરને સ્વચ્છ રાખવા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા ઝૂંબેશનો પ્રારંભ કરતા સ્વચ્છતાની પ્રવૃતિઓને વેગ આપવા તા.03ને સોમવારથી શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝૂંબેશ પાલીકાન ચીફ ઓફીસર તથા સેનેટરી ઈન્સપેકટરના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવી હતી.