Gujarat

જીવલેણ હુમલાના કેસમાં નાસ્તા ફરતા ૩ આરોપીને ઝડપી પડતી વડોદરા પીસીબી

શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધેલ કેસમાં જીવલેણ હુમલો કરનાર ત્રણ ફરાર આરોપીને પીસીબીની ટીમે ઝડપી લીધા છે. આ કેસમાં તપાસ દરમિયાન પીસીબીની ટીમને બાતમી મળી કે, ત્રણ આરોપીઓ નર્મદા જિલ્લાના નાંદોદ પાસે આવેલા રાયપુરા ગામની સીમમાં છુપાયેલા છે. જેના આધારે પીસીબીની ટીમે તમામને શોધી કાઢી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીએ ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઇ પાટીલ (રહે. લાલપુરા, રામેશ્વરની ચાલ, નવાયાર્ડ), અશોકભાઇ મણીભાઇ માયાવંશી (રહે. ગાયત્રીધામ, પીવીઆર રોડ, નવાયાર્ડ) અને હિરેન ઉર્ફે અન્ડી રજનીકાંતભાઇ સોલંકીની અટકાયત કરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઇ પાટીલ સામે ૬ ગુના, અશોકભાઇ મણીભાઇ માયાવંશી સામે ૧૦ ગુના અને હિરેન સોલંકી સામે એક ગુનો નોંધાયેલો છે. તમામ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.