National

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ પદભાર સંભાળતાજ પીએમ મોદીએ પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

મોદી સરકાર ૩.૦ ના સૌથી પહેલા ર્નિણયથી ખેડૂતોને થશે સીધો ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા હતા અને લગભગ ૧૬ કલાક પછી, તેમણે પદભાર સંભાળીને કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમપિર્ત છે.

આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના ૧૭મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના ૯.૩ કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમપિર્ત છે. તેથી, તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.

મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ ર્નિણયો લીધા હતા. આ બંને ર્નિણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા ર્નિણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, અન્ય એક મોટા ર્નિણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ ૫૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે.