Gujarat

નિર્દોષ શિવ પૂજન

સૃષ્ટિનાં ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. એક માન્યતા મુજબ કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિનાં દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, ત્યારે આ પવિત્ર દિવસનાં મહિમાને હૃદયસ્થ કરી મનોવાંછિત જ્ઞાન પ્રાપ્તિ કાજે ખૂબ જ શ્રદ્ધાભાવથી શિવ પૂજન કરવામાં વ્યસ્ત કમરોલી પ્રાથમિક શાળાનાં નિર્દોષ ભૂલકાઓ કેમેરામાં કેદ થયા તે પ્રસંગની તસવીર.
તસવીર:વિજય પટેલ (ઓલપાડ)