Gujarat

વડનાગર ગામે મોચી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

કોડીનાર તાલુકાના વડનાગર ગામે મોચી સમાજ વડનાગર દ્વારા આજરોજ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખોડિયાર માતાજીના મંદિરે આવેલ મકવાણા પરિવાર મંદિરના ગ્રાઉન્ડ ખાતે આ મહોત્સવનું આયોજન થયું છે.

આ આયોજનમાં સમાજના આગેવાનો તથા યુવાઓએ સાથે મળીને સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. ખાસ કરીને લી ભરતભાઈ લાલજીભાઈ મકવાણા અને મનુભાઈ ગીગાભાઈ મકવાણાના સહકારથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયો છે.

આ પ્રસંગે ગામના લોકો અને સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગામના સગાં-વહાલા, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાતા નવરાત્રી મહોત્સવને ભવ્યતા મળી રહી છે.

રિપોર્ટર પરેશ લશ્કરી