ઊનાના ઉંટવાળા ગામમાં આવેલ જાપાની પાસે આવેલ અવેડામાં સેવાળના થર જામી ગયા હોય તેમજ આસપાસ કાદવ કિચડથી
ગંદકીના થર જામી ગયા છે. આ પાણી પશુઓ તેમજ લોકો પીવા મજબુર બન્યા છે. આ અવેડા તેમજ ગંદકી દૂર કરવા ગ્રામ
પંચાયતના સરપંચને જાણ કરવા છતાં સફાઇ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે ગામ લોકોને તેમજ પશુઓને પાણી માટે
હાલાકી ભોગવી પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ સરપંચને જાણ કરતા સફાઇ કરાવાને બદલે લોકોને ધમકીઓ આપતા હોવાનો
આક્ષેપ કર્યો હતો. ચોમાસાની સીઝન હોવાથી દુષિત પાણી પીવાના લીધે રોગચાળો ફાટી નિકળશે તેનો જવાબદાર કોણ ? ગામમાં
લોકો પાણી વેરો, ઘર વેરો ભરવા છતાં સમસયર ગ્રામ પંચાયત દ્રારા સફાઇ કરવામાં આવતી ન હોય જેથી તાત્કાલી યોગ્ય કાર્યવાહી
કરી લોકો અને પશુના હિતમાં સફાઇ કરાવામાં આવે તેવી અલ્પેશભાઇ ભીખુભાઇ સાંખટે તાલુકા વિકાસ અધિકારીએ લેખિત
રજુઆત કરી માંગ કરેલ હતી.
