આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ પાંચ લાભાર્થીઓને રૂ. ૫ લાખ, માઇ રમાબાઇ સાત ફેરા સમુહ લગ્ન યોજના અન્વયે આયોજક સંસ્થાને એક યુગલ દીઠ ત્રણ હજાર લેખે રૂ. ૭૫ હજાર, માઇ રમાબાઇ સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં જોડાયેલ ૩૧ યુગલોને રૂ.૧૨ હજાર લેખે ૩.૭૨ લાખ, કુંવરબાઈનું મામેરું યોજના અન્વયે દરેક યુગલને ૧૨ હજાર લેખે રૂ. ૩.૭૨ લાખ તેમજ ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બે લાભાર્થીઓને
રૂ. ૨.૪૦ લાખની સહાય મળી કુલ ૧૫.૫૯ લાખના સહાય મંજુરી પત્રોનું મંત્રી શ્રી પ્રદીપ પરમારના હસ્તે વિતરણ કરાયું હતું.
