Delhi

૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં શહીદ થયેલા ૪૦ જવાનોને યાદ કરાયા

નવીદિલ્હી
જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા જવાનોને યાદ કરાયા. જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લગભગ ૨૫૦૦ સૈનિકોને લઈને સીઆરપીએફનો કાફલો ૭૮ બસોમાં પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રસ્તા પર સામાન્ય અવરજવર હતી. ઝ્રઇઁહ્લ કાફલો પુલવામા પહોંચ્યો હતો, જ્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક કાર ઝ્રઇઁહ્લના કાફલા સાથે આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી. સામેથી આવી રહેલી જીેંફ સૈનિકોના કાફલા સાથે અથડાતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘાતક હુમલામાં ૪૦ બહાદુર ઝ્રઇઁહ્લ જવાન શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે થોડીવાર માટે બધું ધુમાડામાં ફેરવાઈ ગયું. ધુમાડો હટતા જ ત્યાંનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે આખો દેશ તેને જાેઈને રડી પડ્યો. તે દિવસે પુલવામામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સૈનિકોના મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા હતા. ચારેબાજુ લોહી અને સૈનિકોના શરીરના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ બહાદુરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. આ યાત્રા લગભગ ૩૨૦ કિલોમીટર લાંબી હતી અને સવારના ૩ઃ૩૦ વાગ્યાથી સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. જમ્મુથી ૭૮ બસોમાં ૨૫૦૦ સૈનિકોને લઈને કાફલો રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જ જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પુરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે, હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશ તમામ ૨૫૦૦ સૈનિકોને નિશાન બનાવવા માંગતો હતો. હુમલા બાદ સીઆરપીએફ ઓફિસરે આ હુમલાની માહિતી આપી હતી. તેણે તે સમયે કહ્યું હતું કે કાફલામાં લગભગ ૭૦ બસો હતી અને તેમાંથી એક બસ પર હુમલો થયો હતો. કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ મોકલીને હુમલાની જવાબદારી લીધી હતી. જૈશે આ મેસેજ કાશ્મીરની મીડિયાને મોકલ્યો હતો. જ્યારે સીઆરપીએફ જવાનોને લઈ જતી બસ પુલવામાના અવંતીપોરાથી પસાર થઈ રહી હતી, તે જ સમયે એક કાર બસ સાથે અથડાઈ હતી. આ કાર હાઈવે પર પહેલેથી જ પાર્ક કરેલી હતી. બસ અહીં પહોંચતા જ જાેરદાર વિસ્ફોટ થયો હતો. જ્યાં હુમલો થયો હતો ત્યાંથી શ્રીનગરનું અંતર માત્ર ૩૩ કિલોમીટર હતું અને કાફલાને પહોંચવામાં માત્ર એક કલાકનો સમય બાકી હતો. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે સૈનિકોના શરીર પણ ઉડી ગયા. આ હુમલાને જૈશ દ્વારા બદલો ગણવામાં આવ્યો હતો. હુમલાના બે દિવસ પહેલા પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશનો એક આતંકી માર્યો ગયો હતો.

Puwama-Attack.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *