તા : ૨૪/૦૨/૨૦૨૪ શનિવાર ના દિવસે માંગરોળ તાલુકાના કંકાસા ગામે *HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા* (૧૯૯) એકર માં (૧૧૧) ખેડૂત ને નળ વાળી ડ્રિપ આપેલી ૪૭ ખેડૂત ને ૬૦ એકર માં ટપક માં સહાય કરેલી તથા ૭૦ બોરવેલ દ્વારા જળ રિચાર્જ તેમજ ૧૨ ચેકડેમનું રીપેર કરેલ FF : રાહુલભાઈ રામ […]
Author: Admin
સાવરકુંડલામાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાનું વિદ્યાજગત માટે અનોખું કદમ..
આજની સૌથી મહત્ત્વની વાત તો લોકોમાં શૈક્ષણિક સજ્જતા જ હોય શકે.. ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નો અંગે મોટીવેશનલ સેમિનારનું આયોજન. તારીખ ૨૪-૨-૨૪ના રોજ સાવરકુંડલા શહેરમાં અહીં મહુવા રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દેશના સુપ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબનો કાર્યક્રમ યોજાયો. જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે […]
ઇન્ડિયા ગઠબંધનને તોડવા આમ આદમી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા, તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલજી અડીખમ રીતે આગળ વધ્યા
*આમ આદમી પાર્ટી* *ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ, ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે: ઈસુદાન ગઢવી* *24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે: ઈસુદાન ગઢવી* *ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવીએ, એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે: ઈસુદાન ગઢવી* *કોંગ્રેસની 24 સીટો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશ બચાવવા માટે […]
મહેસાણા કોર્ટ દ્વારા પાટીલને તેડું, ખાસ કેસમાં હાજર રહેવાનુ ફરમાન
મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે. બે દિવસ અગાઉ કોર્ટે કાઢેલા સમન્સમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર ન રહેતા આ વખતે એટીએસને બોલાવીને સમન્સ બજાવણી માટે મોકલ્યું છે. મહેસાણા ચીફ કોર્ટમાં 1 માર્ચના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને હાજર રહેવાનું ફરમાન આવ્યું છે. નકલી સરકારી […]
સાવરકુંડલા મહુવા રોડ ખાતે ચાલી રહેલ મોટીવેશનલ કાર્યક્રમને અનુલક્ષીને જીઈબી અધિકારીની પ્રેરણાકીય કામગીરી
સાવરકુંડલા શહેરમાં તારીખ ૨૪-૨-૨૪ના બપોરે સાડા ચાર આસપાસ અહીં મહુવા રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નો સંદર્ભે દેશના પ્રતિષ્ઠિત મોટિવેશનલ સ્પીકરનો અશોક ગુજ્જરનો વિશાળ વિદ્યાર્થીઓ તથા વાલીવર્ગની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ એક ચિતે તેનો કાર્યક્રમ સાંભળી અને હ્રદયસ્થ કરી રહ્યા […]
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુર ના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિશુલ્ક તમામ રોગની નિદાન અને સારવાર કરવામાં આવી હતી. જેવા કે […]
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર મતવિસ્તારના ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત તેમજ એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બિલવાંટ પ્રાથમિક શાળાના નવીન 5 ઓરડા 66 લાખના ખર્ચે ,ભોરદલી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડા 66 લાખના ખર્ચે , ખજૂરીયા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડાઓ 27 લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત કરવાના આવ્યું હતું. આ સાથે સનાડા ગામે રીસરફેસીંગ માટે સનાડા ડુંગરી ફળિયા કોલી […]
છોટાઉદેપુરમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે સખત આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નજીક વસેડી ગામે ગત 21/05/2022ના રોજ ઘટના બની હતી. પત્નિના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિ અવારનવાર ઝગડો કરી મારકૂટ કરતો હતો. પતિના ત્રાસથી પિયર જતી રહેલ પત્નીને માફી માંગી તેડી લાવી રાત્રીના સમયે ઓઢણી વડે ગળે ટુંપો દઈ પત્નીને મોત ને ઘાટ ઉતારી હતી.પત્નિની હત્યા કરનાર મૂળજી ચીમનભાઈ વણકર હોમગાર્ડમાં ફરજ […]
સાવરકુંડલામાં શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા પૂ. રોહીદાસ સાહેબની ૬૪૭ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
સંત શિરોમણી અને સમાજ માર્ગદર્શક, પ્રેમ અને માનવતાનો શાશ્વત સંદેશ ફેલાવનાર, સમાજ સુધારક એવા પૂજ્ય રોહીદાસ સાહેબની ૬૪૭મી જન્મ જયંતી સાવરકુંડલા શહેર ભાજપ અનુજાતિ મોરચા દ્વારા ઉજવણીનો કાર્યક્રમ હાથસણી રોડ, વીર મેઘમાયાનગર, રામદેવપીર મંદિર, વિશ્રામબાપુની જગ્યામાં પૂજ્ય મહંતશ્રી અરવિંદબાપુના સાનિધ્યમાં અમરેલી જિલ્લા અનુજાતી મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં […]
સાવરકુંડલા નાવલી નદીના પટ્ટમાંથી પ્લાસ્ટિક તેમજ કચરાનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
સાવરકુંડલા નગરપાલિકા કચેરીના સેનિટેશન વિભાગ ના સફાઈ કામદારો દ્વારા શહેરની મધ્યમાંથી સાવર અને કુંડલાની વચ્ચે નીકળતી નાવલી નદીના પટ્ટમાંથી કચરો, પ્લાસ્ટિક દૂર કરી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને શહેર સ્વચ્છ બનાવવાની નેમ હાથ ધરવામાં આવી હતી તેમ અમીતગીરી ગોસ્વામીએ એક યાદી જણાવેલ હતું










