અમદાવાદ ખાતે ‘કોમનવેલ્થ ગેમ્સ ડે‘ અને ‘ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ‘ની ૭૫મી ઐતિહાસિક એડિશનની ભવ્ય ઉજવણી ‘વિકસિત ભારત‘ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ‘કોમનવેલ્થ ગેમ્સ ડે‘ અને ‘ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ‘ની ૭૫મી એડિશન નિમિત્તે એક વિશાળ અને ભવ્ય […]
India
નકલી વેપારી, આંગડિયા પેઢીના કર્મચારીનું બનીને ગુજરાત અને મુંબઈના વેપારીઓને લૂંટતા બે વ્યક્તિને અમદાવાદ પોલીસે ભુજથી ઝડપી પાડ્યા
ગુજરાત અને મુંબઈના વેપારીઓને ઠગતા લોકોને ઝડપી પાડવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે જેમાં, ૩૬ વર્ષીય જગદીશ ઠક્કર અને તેના સાથીદાર ૩૭ વર્ષીય મુકેશ સોરઠીયાની પોલીસે ભુજ ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષમાં આ બન્ને વ્યક્તિઓ દ્વારા અનેક વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાથી પણ વધુનો માલ અને રોકડ […]
ભાવનગરમાં તળાજાના સરતાનપર દરિયામાં નાહવ ગયેલા એક જ પરિવારના ૩ બાળકો ડૂબ્યા, બેના મોત
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર નજીક એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં, એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના તેજ પ્રવાહ અને ઉછળતા મોજાની ઝપેટમાં આવી ગયા હતા. આ કરુણ ઘટનામાં બે બાળકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાળકોને દરિયાના પાણીમાં […]
જામનગર જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી
જામનગર જિલ્લા પંચાયતમાં આગામી કાર્યકાળ માટે હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાન્ય અને બક્ષીપંચ (OBC) જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વરણી પક્ષના વરિષ્ઠ આગેવાનો અને સભ્યોની હાજરીમાં કરવામાં આવી હતી. નવી ટીમમાં પ્રમુખ તરીકે રંજનબેન દયાળજીભાઈ જીવાણી (ખારવા બેઠક), ઉપપ્રમુખ તરીકે […]
જામનગર જિલ્લામાં મનરેગાના કામોમાં ફેસ કેપ્ચર અને નેટવર્કના લોચામાં શ્રમિકોનું વેતન જોખમમાં
જામનગર જિલ્લાના 45થી વધુ ગામોમાં મનરેગાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેમાં કામ કરતા શ્રમિકોની હાજરી હવે ઓનલાઈન ફેસ કેપ્ચરથી પુરવાનું શરૂ કરવામાં આવી છે. જેમાં આંખના રોગી શ્રમિકો તેમજ નેટવર્કના પ્રશ્ને હાજરી પુરાતી ન હોવાથી શ્રમિકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી હાજરી પુરવા માટે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગણીઓ થઈ રહી છે. […]
જામનગર વૃદ્ધાશ્રમમાં ભાગવત કથાનું સમાપન
જામનગરમાં વર્ષ 1968 થી કાર્યરત એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખાતે દિવંગત વડીલોના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ કથાનું સમાપન થયું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે 17 મે થી 23 મે, 2026 દરમિયાન આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના પટાંગણમાં દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જેમાં સપ્તાહ દરમિયાન વિવિધ ભક્તિમય […]
સિટી B ડિવિઝન ‘શી ટીમ’ દ્વારા સુરક્ષા અને જાગૃતિ અભિયાન
શહેરમાં ઉનાળુ વેકેશનને કારણે જાહેર સ્થળો અને બગીચાઓમાં લોકોની અવરજવર વધી છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા જી.જી. હોસ્પિટલ તથા જોગર્સ પાર્ક વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ અને નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી […]
જામનગરમાં પત્ની સામે પતિએ હુમલાની ફરિયાદ નોંધાવી
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદે ગંભીર વળાંક લીધો છે. પત્ની પર પોતાની હત્યાનું કાવતરું ઘડવાની શંકા રાખી પતિએ પુરાવા રૂપે મોબાઈલ માંગતા પત્નીએ ક્રિકેટ બેટથી હુમલો કર્યો હતો. આ અંગે પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બીપીનભાઈ મારખીભાઈ કરમુર (ઉંમર 40, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. ગોકુલનગર સરદારનગર શેરી નં.01, સાંઢીયાપુલ પાસે, […]
વેકેશન અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કાંકરિયા, રીવરફ્રન્ટ, અટલબ્રીજ ના સમયમાં કરાયો વધારો
રાજ્યમાં ઉનાળાના વેકેશનના માહોલમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓની ભીડ સતત વધી રહી છે. અસહ્ય ગરમીના કારણે લોકો ખાસ કરીને રાત્રિના સમયે રિવરફ્રન્ટ તરફ વળ્યા છે. નાગરિકો, બાળકો અને પ્રવાસીઓની આ ભારે ભીડ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં મોટો વધારો કરવાનો […]
ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ : વિવિધ જિલ્લાના ૨૦ માર્ગો પર ૧૧૪૭ કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે
પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેક્નોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે ગાંધીનગર, ૨૩ મે, ૨૦૨૬: ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જાેવા મળી રહ્યું છે. આ વિઝનને […]










