Gujarat

દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય

દહેગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલકો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સમાધાન થયું હતું. આંદોલનને કારણે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી આંદોલન પાછળનું મુખ્ય કારણ દૂધના ખરીદી ભાવને […]

Gujarat

મિત્રની મદદ કરવા આવેલા મિત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-૨ સર્કલ પાસે જાહેરમાં ૩ રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે […]

Gujarat

જામનગર કલેક્ટર કેતન ઠક્કરને વાયુસેનાનો ‘કોમેન્ડેશન’ મેડલ

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેના દ્વારા પ્રતિષ્ઠિત ‘કોમેન્ડેશન-Commendation’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. કલેક્ટર ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને આ સન્માન અપાયું છે. તેમણે જામનગર એરફોર્સ બેઝ, જે દેશનો વ્યૂહાત્મક […]

Gujarat

જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો – અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલની અછતની અફવાઓ ફેલાતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ નિરાશા સાંપડી રહી છે. રાજ્યમાં પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાઈ છે. આ અંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન […]

Gujarat

22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર બે જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. એકની એક દીકરીએ માતા […]

Gujarat

NDPSના આરોપીને 12 વર્ષની કેદ

અમદાવાદના DCB પોલીસ મથકે માર્ચ, 2024માં બાપુનગરના આરોપી સલીમ શેખ અને ડુંગરપુરના એક આરોપી ભરત સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. ડુંગરપુરનો આરોપી ફરાર છે. ત્યારે આરોપી સલીમ શેખ સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવલી NDPSની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને […]

Gujarat

સાણંદમાં વીરાંજલિ ડાયરાની શૌર્યસભર ભવ્ય પ્રસ્તુતિ

સાણંદની ધરા પર વીરતા, શૌર્ય અને અડગ દેશભક્તિના ત્રિવેણી સંગમ સમાન “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત હજારોની જનમેદનીમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુવાળ ફૂંક્યો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દેશના અમર શહીદોને ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ […]

Gujarat

અમદાવાદમાં UCC બિલનો વિરોધ

આજે ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી […]

Gujarat

સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોડની ટીમે ગતરાત્રે પેટ્રોલિંગ દરમિયાન સીદસર વાળુકડ રોડ 25 વારીયા પાસેથી જાહેરમાં ગંજીપાના રમતા ત્રણ શખસોને ઝડપી પાડી વરતેજ પોલીસને હવાલે કર્યા હતા. હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા આ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર, ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોર્ડની ટીમ ગતરોજ રાત્રીના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના અલગ […]

Gujarat

જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલી

જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈને હવાઈ ચોક સુધી યોજાઈ હતી. હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ […]