જામનગરના વોર્ડ નંબર 6 માં રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે તોળાઈ રહેલું ડિમોલીશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી રેલવે અને વહીવટી તંત્ર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી સેંકડો સ્થાનિકોને મોટી રાહત મળી છે. વોર્ડ નંબર 6 માં આવેલા હનુમાન ટેકરી અને સિદ્ધાર્થ નગર સહિતના વિસ્તારોમાં અંદાજે 1500 […]
India
રાજકોટ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે ઈસમો તથા બાળકિશોરને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે ઈસમો તથા બાળકિશોરને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૬/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમા બનેલ લુંટના બનાવ અંગે તાત્કાલીક ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય, સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પો.સ્ટે.ની અલગ-અલગ […]
હિમાચલ પ્રદેશના મંડીમાં ૨૬.૪ ડિગ્રી
ઉત્તરાખંડમાં ૩ શહેરોનું તાપમાન -૨૦°ઝ્રથી નીચે દેશના પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી સુધી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પહાડો પર વરસાદ-બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં દિવસનું તાપમાન ૩૦°ઝ્રને પાર કરી ગયું છે. જ્યારે યુપી અને રાજસ્થાનમાં ૧૬ ફેબ્રુઆરીથી વરસાદની સંભાવના છે. […]
મહેસાણા જિલ્લામાં શિયાળુ વાવેતરનો ધમધમાટ
ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલા વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે.જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે વાવેતરના આંકડામાં મોટો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકોનું સરેરાશ […]
દક્ષિણ ગુજરાતમાં ૪૫૮૩ કરોડના ખર્ચે ફોરલેન હાઈવેને મંજૂરી
૧૦૮ કિમીનો નવો હાઈવે સુરત, નર્મદા અને તાપી જિલ્લામાંથી પસાર થશે, આદિવાસી વિસ્તારને ફાયદો થશે દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ ર્નિણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. ૪૫૮૩.૬૪ કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૭ કિલોમીટર લાંબો ૪ લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં […]
મહાશિવરાત્રિએ ગાંધીનગર શિવમય બન્યું:
સુપ્રસિદ્ધ ધોળેશ્વરથી પંચદેવ સુધી શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, ચાર પ્રહરની પૂજા સાથે ભક્તો ભક્તિમાં તરબોળ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાટનગર ગાંધીનગર અને સમગ્ર જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો છે. ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસનાના આ મહાપર્વે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદથી વાતાવરણ ગુંજી […]
ગાંધીનગરમાં ૧૭ ફેબ્રુઆરીએ સહકાર ક્ષેત્રની મહામંથન બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. બેઠકનું અધ્યક્ષસ્થાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સંભાળશે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને […]
‘રાહુલ ગાંધી ખોટું બોલે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે‘:ગૃહમંત્રી અમિત શાહનો પડકાર
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ટ્રેડ ડિલ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ ખોટું બોલીને ગેરમાર્ગે દોરે છે. […]
ગુજરાત સ્ટેટ કમિશનનો ક્રાંતિકારી ચુકાદો
નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને વીમાકૃત ભેંસના મૃત્યુ બદલ ૮% વ્યાજ સાથે વળતર અને ૨૦,૦૦૦ ખર્ચ આપવા વીમા કંપનીને આદેશ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને ન્યાય આપતો ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી ચુકાદો આપ્યો છે. સોજીત્રા તાલુકાના જનકબેન એચ. મહિડાએ અમૂલ ડેરીમાં દૂધ ભરીને ગુજરાન ચલાવતી વખતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં […]
હોટલ નીમ ટ્રીની વેઇટ્રેસે ગળેફાંસો ખાધો પરિણીત યુવતીને પ્રેમી માનસિક ત્રાસ આપતો
શહેરના થલતેજ વિસ્તારમાં અંબિકા નગરમાં ભાડાના મકાનમાં રહેતી અને એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી હોટલ નીમ ટ્રી ખાતે વેઇટર તરીકે નોકરી કરતી યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી અને આપઘાત કરી લીધો છે. જ્યારે જમાલપુર વિસ્તારમાં રીક્ષાચાલકે ગીરવે મૂકેલી રીક્ષા પરત ન મળતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું […]










