નવીદિલ્હી
અમુકવાર તો આર્મી સૈનિકો એવું કામ કરે છે કે હદય એમની વાહવાઈ કરવાથી ભરાઈ જાય છે જાે કોઇ ઘાયલ સૈનિકને તેનો કમાંડર હોસ્પિટલમાં મળવા જાય અને તે સમયે તેને કહે કે ચિંતા ન કરશો જેમણે તમને ઘાયલ કર્યા છે અમે તેમને છોડીશું નહી, તો તે ઘાયલ સૈનિકનો આત્મવિશ્વાસ મજબૂત થઇ જાય છે. અને જાે થોડા દિવસો બાદ તે જ કમાંડર ફરીથી મળવા આવે અને કહે અમે તેને મારી નાખ્યો, તો તે સૈનિકને લાગે છે કે તેને લાગે છે કે યોગ્ય સમયે સાજાે થઇ ગયો છે અને ફરીથી મોરચા પર જવા માટે તૈયાર છે. આવી જ એક ઘટના ગત થોડા દિવસો પહેલાં કાશ્મીરમાં થઇ, જ્યારે સૈનિકના હોસ્પિટલમાંથી બહાર આવતાં પહેલાં તેનો બદલો લેવામાં આવ્યો અને તેની ખુશખબરી કમાંડરે ઘાયલ સૈનિકને આપી. ૪ એપ્રિલના રોજ શ્રીનગરના મૈસૂમામાં સીઆરપીએફના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. કેમ્પની સંતરી પોસ્ટ પર કરવામાં આવેલા આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ વિશાલ કુમારને વીરગતિ મળી જ્યારે એએસઆઇ નિરંજન સિંહના જડબામાં ગોળી વાગી હતી. નિરંજન સિંહને શ્રીનગરમાં સેના ૯૨ બેસ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. અહીં તેને મળવા ચિનાર કોરના કમાંડર લેફ્ટિનેંટ જનરલ ડીપી પાંડે પહોંચ્યા. જનરલ પાંડેએ ઇજાગ્રસ્ત સૈનિકનો આત્મવિશ્વાસ વધારવાની સાથે-સાથે જલદી તેમનો બદલો લેવાનો વાયદો કર્યો હતો. ૧૦ એપ્રિલના રોજ જ શ્રીનગરના બિસંબર નગરમાં આતંકવાદીઓ સાથે મુઠભેડ થઇ અને બે પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા. પોલીસ અને સીઆરપીફના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી પાકિસ્તાની હતા અને છ કેટેગરીના હતા. આ આતંકવાદીઓએ મૈસૂમા સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં નિરંજન સિંહ જખ્મી થયા હતા અને તેમની સાથે વીરગતિને પ્રાપ્ત થયા હતા. એકવાર ફરી જનરલ પાંડે બેસ હોસ્પિટલ ગયા અને નિરંજન સિંહને આ ખુશખબરી આપી. ખુશખબરી મળતાં જ નિરંજન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે જલદીથી જલદી ફરીથી મોરચા પર જવા માટે બેચેન છે. માર્યા ગયેલા એક આતંકવાદી મોહમંદ ભાઇ ઉર્ફે અબૂ કાસિમ હતો, જે ૨૦૧૯થી કાશ્મીરમાં ઘટના કરી રહ્યો હતો. બીજાે આતંકવાદી અબૂ અર્સલાન ઉર્ફ ખાલિદ ૨૦૨૧ થી શ્રીનગરની આસપાસ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સામેલ હતો. બંને આતંકવાદી લશ્કર-એ-તૈયબા આતંકવાદી ગેંગના હતા અને તેમની પાસે નકલી આધાર કાર્ડ પણ હતા.
