Delhi

શરદ પવાર કોરેગાંવ-ભીમા તપાસ પંચ સમક્ષ હાજર થશે

નવીદિલ્હી
કોરેગાંવ-ભીમા તપાસ પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક યુદ્ધ સ્મારક પર જાન્યુઆરી ૨૦૧૮માં થયેલી હિંસાના સંબંધમાં તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. તેમને ૫ અને ૬ મેના રોજ તેમની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પંચે અગાઉ ૨૦૨૦માં પવારને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે તેઓ તેની સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. પાછળથી, પવારને આ વર્ષે ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ કમિશન સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વરિષ્ઠ નેતાએ નવી તારીખ માંગી હતી કે તેઓ તેમનું નિવેદન નોંધતા પહેલા વધારાની એફિડેવિટ ફાઇલ કરવા માગે છે. તાજેતરમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. પંચના વકીલ આશિષ સાતપુતેએ જણાવ્યું કે આ પછી પંચે બુધવારે પવારને સમન્સ જારી કર્યું હતું. દ્ગઝ્રઁ વડાને ૫ અને ૬ મેના રોજ તપાસ પંચ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પવારે ૮ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ કમિશન સમક્ષ એફિડેવિટ પણ દાખલ કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦ માં, સામાજિક જૂથ વિવેક વિચાર મંચના સભ્ય, સાગર શિંદેએ પંચ સમક્ષ અરજી દાખલ કરી, જેમાં પવાર દ્વારા ૨૦૧૮ની જાતિ હિંસા વિશે મીડિયામાં આપેલા કેટલાક નિવેદનોને પગલે તેમને બોલાવવાની માંગ કરી. બે સભ્યોના તપાસ પંચમાં કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જેએન પટેલ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુમિત મલિકનો સમાવેશ થાય છે.

Sharad-Pawar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *