ઊના – પીજીવીસીએલની ઘોર બેદરકારીના જીવંત દ્રશ્યો શહેરની ઉન્નતનગર સોસાયટી પાસે પટેલ બોર્ડીંગની દિવાલ પાસે વિજળીનો થાંભલો તૂટી ગયો હોય અને થાંભલાને દોરડા વડે દિવાલ સાથે બાંધી ઉભો રાખેલ છે. આ રહેણાકીય વિસ્તારમાં લોકોની વ્યાપક અવર જવર હોય ત્યારે આ થાંભલા પરથી પસાર થતા જીવંત વિજવાયર લોકો પર મોતની નિચેથી પસાર થતાં હોય ત્યારે પીજીવીસીએલ દ્રારા તાત્કાલીક વિજપોલ બદલાવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.


