ગિરગઢડા
ભરત ગંગદેવ.
.સિંધી સમાજ માટે પવિત્ર ચાલીસા માસનું ખૂબ મહત્વ હોઈ છે. જેની આજથી શરૂઆત થતા વેરાવળ ચોપાટી ખાતે વહેલી સવારે દરિયાદેવનું પૂજન અને અરદાસ કરાઈ હતી.ત્યારબાદ બપોરે 4 કલાકે વાણંદ સોસાયટી સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે ચાલીસા સાહેબની સ્થાપના કરાઈ હતી.સાંજે 5:30 થી 8:00 સત્સંગનું આયોજન પણ કરાયું હતું.આવનારા 40 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો ,સત્સંગનું પણ ભવ્ય આયોજન કરાશે.ઉપરાંત આ 40 દિવસ દરમિયાન જે લોકો ચાલીસા સાહેબનું પૂજન કરે છે તેઓએ દાઢી, વાળ,નખ નથી કાપતા.નવા કપડાં ન લેવા કે પહેરવા, બ્રહ્મચર્યાનું પાલન કરવું, સફેદ વસ્તુ ન ખાવી, પાદુકા ન પહેરવી, ઘરની બહારના પાણી કે ભોજનનું સેવન ન કરવું,પલંગ કે ખુરશી પર ન બેસવું કે ન સૂવું જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે અને જે 40 દિવસ આ નિયમોનું પાલન ન કરી શકે તેઓ 11 દિવસ નિયમોનું પાલન કરી પોતાની ભક્તિ કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી લિલાશાહ સત્સંગ ગ્રૂપ, હરી ઓમ સત્સંગ ગ્રૂપ, ધન નિરંકાર ગ્રૂપ, ગુરુનાનક કીર્તન મંડળી, સિંધી સમાજ સેવા સમિતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

