Gujarat

પીર ઈમામશાહ બાબા સૂફી સંતનું નામ બદલીને સદગુરુ હંસતેજજી મહારાજ રાખવાનો ર્નિણય

અમદાવાદ
અમદાવાદમાં પીર ઈમામશાહ બાબાની દરગાહ, જે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ છે, તે હવે ધાર્મિક વિવાદોમાં ફસાયેલી જાેવા મળી રહી છે. મામલો ગુજરાતના અમદાવાદનો છે, જ્યાં મુસ્લિમ સમુદાયના ઘણા સભ્યો એક સૂફી સંતના નામ બદલવાના વિરોધમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. અગાઉ પણ દરગાહ પરિસરમાં મંદિર બનાવવાને લઈને વિરોધ થઈ ચૂક્યો છે. પીર ઈમામશાહ બાબાનું મૃત્યુ લગભગ ૫૦૦ વર્ષ પહેલા થઈ ગયું છે. અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામમાં તેમની એક દરગાહ હતી, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો આવતા હતા. તેને ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ પણ કહેવામાં આવતું હતું. હવે બાબાના હિંદુ અનુયાયીઓએ સૂફી સંતનું નામ બદલીને સદગુરુ હંસતેજજી મહારાજ રાખવાનો ર્નિણય કર્યો છે. ઈમામશાહ બાબા રોજા સંસ્થાનના ટ્રસ્ટીઓ વતી ભૂખ હડતાળ અંગે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે. તેમજ આ મામલે સત્તાધીશોના હસ્તક્ષેપની માંગણી કરી હતી. આ સિવાય મુસ્લિમ સમુદાયે દરગાહ પરિસરમાં ભૂખ હડતાળ પર બેઠેલા લગભગ ૨૫ લોકોની સુરક્ષાની પણ માગ કરી છે. પીરના વંશજાેએ આ નામકરણનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આ દરગાહને ભગવા કરવાનો બીજાે પ્રયાસ છે. પીરના વંશજાે સ્થાનિક સૈયદ સમુદાય સાથે સંકળાયેલા છે. આ સાથે ટ્રસ્ટીઓએ હઝરત પીર ઈમામશાહ બાબાની દરગાહને હિન્દુ ધાર્મિક સ્થળમાં રૂપાંતર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને એક આવેદન આપવામાં આવ્યું છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *