Entertainment

રાજકુમાર રાવને કોઈએ બીટાડીનના કોગળા કરવાની આપી સલાહ, પરંતુ અડધી બોટલ પી ગયો

જાહન્વી કપૂર અને રાજકુમાર રાવ હાલમાં જ તેમની બીજી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રચાર માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે પોતાની ફિલ્મો પાછળની ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.જેમાં જાહન્વીએ તે સમય વિશે વાત કરી જ્યારે રાજકુમાર રાવે બીટાડીનની અડધી બોટલ પીધી હતી કારણ કે, જાહન્વીએ તેને કહ્યું હતું કે તેનાથી તેનું ગળું ઠીક થઈ જશે.

વાત શેર કરતા જાહન્વીએ કહ્યું, રાજકુમાર લોકો પર ખૂબ જ સરળતાથી વિશ્વાસ કરે છે. એકવાર રુહીના સેટ પર તેમને ગળામાં દુખાવો થયો અને મેં તેમને કહ્યું કે બીટાડીન નામની દવા છે, જે તમારા ગળાના દુખાવાને ઠીક કરશે. માત્ર એટલા માટે કે મેં તેમને કહ્યું ‘તમારે તે લેવું જોઈએ’. તેણે આ દવા લીધી. પરંતુ બીટાડીનના કોગળા કરવા જોઈએ, ના કે પીવું જોઈએ.

જાહન્વીએ કહ્યું, ‘બીજા દિવસે મેં રાજકુમારને પૂછ્યું, ‘કેવું લાગે છે?’ અને તેમણે કહ્યું, ‘હા, તે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે.’ મેં તેમને પૂછ્યું કે તે કેટલી વાર કોગળા કરે છે અને તેમણે કહ્યું, ‘ના ના, મેં અડધી બોટલ પીધી છે.’

જાહન્વી કપૂરનું વર્ક ફ્રન્ટ

​​​​​​​જાહન્વી આજકાલ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં જાહન્વી સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. જાહન્વી ટૂંક સમયમાં ફિલ્મ ‘ઉલઝ’માં જોવા મળશે. આ સિવાય તે જુનિયર એનટીઆર સાથે ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ વન’માં જોવા મળશે.