ચૈત્ર સુદ પૂનમના દિવસે સમગ્ર ગોહિલવાડ પંથકમાં હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર અને અધેવાડા સ્થિત ઝાંઝરીયા હનુમાનજી મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે.
ગોળીબાર હનુમાનજી મંદિરમાં બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ હતી. ભક્તોએ સવારથી જ પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ હજારો ભાવિકોએ દર્શન કર્યા હતા. સવાર અને બપોરની મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગરના આયોજન હેઠળ સાંજે 5:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ યાત્રા કેસરીનંદન હનુમાનજી મંદિર, માઢીયા રોડથી પ્રારંભ થશે. શોભાયાત્રા કુંભારવાડા વિસ્તાર, સીકોતરમાતા મંદિર, ચાણક્ય સ્કૂલ અને શિતળામાતા મંદિર થઈને નારી રોડ પરથી પસાર થશે. યાત્રા કુંભારવાડા સર્કલ ફરીને કેસરીનંદન હનુમાનજી મહારાજ મંદિરે જયઘોષ સાથે સંપન્ન થશે.



